Book Title: Rajvallabha athwa Shilpashastra
Author(s): Narayanbharati Yashwantabharti Gosai
Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad
View full book text
________________
નથી. સંસ્કૃતમાં લખાએલા અનેક શિપશાસ્ત્રના ગ્રંથ જોયા વગર એ વિષે પ્રાચીન વિદ્વાન. કેટલું કહી ગયા છે તે કહી શકાતું નથી.
શિ૯૫ના ઘણા ગ્રંથો છે, તે પૈકી રાજવઠ્ઠભ પ્રથમજ ગુજરાતી ભાષાને માન આપવા પ્રસિદ્ધ થઈ તેના ભાવિક ભક્તને દર્શન દેરા ઉત્કંઠા બતાવી અને તેનાથી વિમુખ થયેલા તેના આશ્રિતોનો અપરાધ માં કરી તેમનું માન વૃદ્ધિ પામે એવા વિચારો પ્રદશિત કર્યા છે, એજ મહાપણાનું મૂળ છે. શિપજ્ઞાન ધરાવનાર જે કારીગરે શિળપણું રાખી ઘરધણી પાસે દીનતા દાખવે નહિ, એવાને શિપિ નામનું માન ઘટે છે, પણ પૈસાના લોભે ઘરધણીને સંતાપે તથા ગ્યાયેગ્ય રીતે નુકસાન કરવા ઈછે તેમજ કામ દેખાડી માલકને રંજન ન કરે તેને શિહિપ નહિ પણ “શિલા” અર્થાત્ પથ્થર છે એમ કહેવાનો હરકત નથી.
પાટણમાં શ્રીમહારાજ કુમાર શ્રી ફતેસિંહરાવે સાર્વજનિક પુસ્તકાલયનું નવીન મકાન તૈયાર કરાવવાના કામમાં તન, મન અને ધન ખરચી રાત દિવસ ત્યાં જ રહીં ચાર મહિના સુધી ઘણે શ્રમ વે હતે. સન ૧૯૧ સંવત ૧૮૪૭ | નારાયણભારતી યશવંતભારતી ગેસાઈ અણહિલપુર (પાટણ). "
ત્રીજી આવૃત્તિની પ્રસ્તાવના. આ ત્રીજી આવૃત્તિમાં કંઈ પણ સુધારે, વધારો કે ફેરફાર કર્યા શિવાય જેમની તેમ અક્ષરશઃ છાપવામાં આવી છે. કેટલાક શિ૯૫કાર્યવિદ્ જનેને બાળબોધ લીપીનું ઝાઝું જ્ઞાન નહિ હોવાથી પાછલી બે આવૃત્તિની ટીકા બાળબોધ અક્ષરે હતી તેથી તે અડચણ દૂર થવા ગુજરાતી અક્ષરથી કેટલાક સુભેચ્છું જનની માગણીથી છાપવામાં આવી છે તેથી બાળબોધ નહીં જાણનારને તે વધારે ઉપયોગી થઈ ગ્રંથને બેહળે ફેલાવા પામવાની શુભેચ્છા છે.
આ આવૃત્તિ છાપતી વખતે એ ગ્રંથની પ્રથમવૃત્તિ વડેદરા વિરક્ષેત્ર મુદ્રાલય પ્રેસમાં છપાવેલી તેનાં પ્રફસીટ જેનાર પ્રથમ ગ્રંથ છાપતાં નારાયણબારથીને મળી સમજુત લીધેલી એવા બાહોશ પ્રફરીડર છગનલાલ દાજીભાઇ દ્વિવેદી ઉમરેઠવાસીએ કાળજીપૂર્વક સુધારી છે તે બાબે ધન્યવાદ આપીએ છીએ. પાછલી બે આવૃત્તિઓ બાળબોધ લીપીમાં છાપેલી હતી તેને લાભ સાધારણ શિદિપ પણ લે તેવા ઉદ્દેશથી મૂળ સંસ્કૃત અને ટીકા ગુજરાતી અક્ષરે છપાવી છે. સન ૧૯૧૧ સંવત ૧૯૬૭
બુકસેલર અમદાવાદ-ત્રણ દરવાજા, ઈ મહાદેવ રામચંદ્ર જાગુટ્ટે.