Book Title: Prekshadhyana Sharir Preksha
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 15
________________ ધિગત નાડીઓના માધ્યમથી કેન્દ્રીય નાડીતંત્ર સુધી પહોંચાડે છે. કેન્દ્રીય નાડીતંત્ર આવનાર સંવેદનાની છટણી અને મૂલ્યાંકન કરે છે, તેમાંની મહત્ત્વપૂર્ણ સૂચનાઓને ભાવિ ઉપગને માટે સ્મૃતિમાં સંગ્રહિત કરે છે તથા ઉચિત નિર્ણય કરી તદનુરૂપ કાર્યસિદ્ધિ માટે પરિધિગત તંત્રિકા દ્વારા સ્નાયુ-તંત્ર સુધી વિદ્યુત-આવેગો પહોંચાડે છે. આ રીતે નાડી–તંત્રનાં મુખ્ય બે કાર્યો છે – ૧. શરીરની અંદર અને બહારથી પ્રાપ્ત થતી માહિતીઓની તપાસ કરી તેમનું સંશોધન કરવું. ૨. સ્નાયુતંત્રની સક્રિયતા દ્વારા શારીરિક સંચાલન પેદા કરવું અને તેનું નિયમન કરવું. મગજના કેટલાક ભાગો લાગણીઓના નિયંત્રણ અને માહિતીના સંગ્રહ માટે જવાબદાર હોય છે તથા વ્યક્તિત્વ અને બૌદ્ધિકતા સાથે પણ એમને સંબંધ હોય છે. અગ્ર–મગજ અને મધ્ય-મગજ ભેગાં મળીને મેટું મગજ બને છે. મગજનું અધિકાંશ દ્રવ્ય મોટા મગજમાં હોય છે. તેની બહારની રચના રાખોડી રંગના પડની અને અંદરની રચના વેત રંગની પેશીઓની બનેલી હોય છે. તેની કરચલીદાર વિશિષ્ટ રચનાને કારણે તેમાં થોડી જગ્યામાં અસંખ્ય મગજ-કેને સમાવેશ થઈ જાય સંવેદન (sensation)ને સંબંધ આપણું ઇન્દ્રિ સાથે છે, મગજ સાથે છે. સંવેદનાનાં બધાં કેન્દ્રો મગજમાં છે. આંખ જુએ છે, પરંતુ આંખના સંવેદનનું કેન્દ્ર આંખ પાસે નથી, તે મગજમાં છે. જીભ સ્વાદ લે છે, પરંતુ તેનું સંવે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76