Book Title: Prekshadhyana Sharir Preksha
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 50
________________ ત્રણ શરીર-પ્રેક્ષા શા માટે? શરીર આત્મા છે પ્રેક્ષાધ્યાનનું સૂત્ર છે–આત્મા વડે આત્માને જુઓ. આ સૂત્રનું તાત્પર્ય છે-ચિત્ત વડે આત્માનાં વિભિન્ન સ્તરને જુઓ. જોતાં જોતાં સાધ્ય એટલે શુદ્ધ ચેતના સુધી પહોંચી જવાશે. જ્યારે આપણે જોવાનું શરૂ કરીશું ત્યારે સૌ પ્રથમ આપણું સામે આવશે–શરીર. શરીર આપણે આત્મા છે. જ્યાં સુધી તેમાં પ્રાણ-શક્તિને સંચાર હોય ત્યાં સુધી આપણે શરીરને સર્વથા અનાત્મા ન કહી શકીએ. આંગળી એટલા માટે હલે છે કે તે આત્મા છે. શું શરીરને કઈ એ વિભાગ છે, જયાં આત્મા ન હોય? શું શરીરને એક પણ પરમાણુ એ છે જે આત્માથી ભાવિત ન હોય? આત્મા છે એટલે માણસ ખાઈ રહ્યો છે, બોલી રહ્યો છે, શ્વાસનું સ્પંદન થઈ રહ્યું છે. આત્મા ચાલ્યા જાય તે માણસ ન ખાઈ શકે, ન બોલી શકે, અને ન શ્વાસ લઈ શકે. શ્વાસ આત્મા છે, ભાષા આત્મા છે, આહાર આત્મા છે અને શરીર આત્મા છે. આહાર એક પર્યાપ્તિ પણ છે અને પ્રાણ-શક્તિ પણ છે. શરીર એક પર્યાતિ પણ છે અને પ્રાણ૧. પ્રર્યાપ્તિ એટલે શારીરિક ક્રિયાઓની શક્તિ 49 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76