Book Title: Prekshadhyana Sharir Preksha
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 55
________________ સામે હોય તો આખું શરીર જોઈ શકાય. પરંતુ આ જેવું જેવું નથી. શરીરને જોવાની પણ એક કળા છે. તેને જોવાની એક વિધિ છે. જ્યાં સુધી શરીરને જોવાની વિધિ નથી જાણુતા, ત્યાં સુધી ફક્ત ચામડીને જોઈ શકીએ છીએ, રૂપરંગને જોઈ શકીએ છીએ આકાર-પ્રકારને જોઈ શકીએ છીએ, બનાવટને જોઈ શકીએ છીએ, પરંતુ શરીરને જોઈ શકતા નથી. શરીરને ત્યારે જોઈ શકીએ છીએ જ્યારે શરીર–પ્રેક્ષાને અભ્યાસ કરીએ છીએ. જે વ્યક્તિ શરીર–પ્રેક્ષાને અભ્યાસ નથી કરતી, તે શરીરને જોઈ નથી શકતી. એક એક અવયવ પર ચિત્તને લઈ જાવ. બહાર અને અંદર ચિત્તને ટકા, એકાગ્ર કરે. શરીરની અંદર પ્રાણનાં જે પ્રકંપન થઈ રહ્યાં છે, જે રસાયણ કામ કરી રહ્યાં છે, જે વિદ્યુત કામ કરી રહી છે, તેને જુઓ. શરીરની અંદર કેટલું પરિવર્તન થઈ રહ્યું છે, ક્યારેક જૈવિક–રાસાયણિક પરિવર્તન, ક્યારેક કર્મ વિપાકથી થનાર પરિવર્તન, ક્યારેક ઠંડી-ગરમીના કારણે થનાર પરિવર્તન ક્યારેક ભેજન વગેરે દ્વારા થનાર પરિવર્તનઆ બધું આપણે જોઈએ. આપણા શરીરની કૅમિસ્ટ્રી” જુદી, છે, જુદી રીતે કામ કરી રહી છે. તે બધાં પરિવર્તનને જ્યાં સુધી આપણે જોઈ નહીં શકીએ, ત્યાં સુધી આત્મદર્શનની વાત જ નહીં થાય. આ શરીરમાં આત્મા તે ઘણે ઊંડે છે. તેના પર તે ન જાણે કેટલાંય પડ જામી ગયાં છે. તે બધાને જોયા વિના તે સૂક્ષમ સત્યને–પરમ સૂક્ષ્મ સત્યને જોઈ નહીં શકાય, તેને સાક્ષાત્કાર કરી નહીં શકાય. આપણે બધા દરવાજાને, બધાં તાળાને અને બધી 54 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76