Book Title: Prekshadhyana Sharir Preksha
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 71
________________ પ્રશ્ન ઊઠે છે વ્યાધિ કેવી રીતે મટે? શરીર–પેક્ષા વ્યાધિ મટાડવાની પદ્ધતિ છે? હા, તે વ્યાધિ મટાડવાની પ્રક્રિયા છે, પરંતુ છે પરોક્ષ પ્રકિયા. ડેક્ટર વ્યાધિની દવા આપે છે, શરીર–પ્રેક્ષામાં વ્યાધિની દવા કરવામાં નથી આવતી. ઉપાધિને મટાડવાની દવા કરવામાં આવે છે. ઉપાધિના ઉપચારથી આધિ મટે છે અને આધિ મટે છે એટલે વ્યાધિ મટે છે. જાગરૂકતા શરીર-પ્રેક્ષાને બીજે લાભ છે–જાગૃતિ. સ્થૂળ શરીરની વર્તમાન ક્ષણને જેનાર જાગૃત થઈ જાય છે. કોઈ ક્ષણ સુખરૂપ હોય છે અને કઈ ક્ષણ દુઃખરૂપ. ક્ષણને જેનાર સુખાત્મક ક્ષણ પ્રતિ રાગ નથી કરતે અને દુઃખાત્મક ક્ષણ પ્રતિ હેષ નથી કરતે. તે માત્ર જુએ અને જાણે છે. પ્રતિસ્રોતની ચેતના શરીર–પ્રેક્ષાને એક બીજે લાભ છે–પ્રતિસ્રોત ગામિતા –પ્રવાહની વિરોધી દિશામાં જવાની શક્તિ. નિરંતર બીજાએને જોવાને કારણે આપણી દૃષ્ટિ એવી બની ગઈ છે કે આપણે આપણને પિતાને જોવાનું પણ ભૂલી ગયા. આપણે ભૂલી ગયા કે પિતાની જાતને પણ જેવી જોઈએ. શરીરપ્રેક્ષા પિતાની જાતને જોવાની પ્રક્રિયા છે. આ પ્રક્રિયા પ્રતિસ્ત્રોતની ચેતનાનું નિર્માણ કરે છે. જેનું પરિણામ એ આવી શકે છે કે બીજાઓને જોવાનું બંધ કરીએ અને પિતાને જોઈએ. ધ્યાનની શરૂઆતમાં આપણે સંક૯પ-સૂત્રને 70. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76