Book Title: Prekshadhyana Sharir Preksha
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 73
________________ નિર્મળતા વધે છે, આનંદની સરવાણું ફૂટે છે અને હલકાપણને અનુભવ થાય છે. આત્માને પામવા માટે સમગ્ર શરીરની સાધના નિતાંત આવશ્યક છે. તે શરીર-પ્રેક્ષા વડે ફલિત થાય છે. શરીરને કાયાકલ્પ શરીર-પ્રેક્ષાને સહુથી વધારે અગત્યને લાભ છે– ચેતનાની આંતરિક આસ્થાનું નિર્માણ અને તે આસ્થાના આધારે સંચાલિત થનાર નવી આદતેનું નિર્માણ. શરીર-પ્રેક્ષા વડે આપણે ઝેર અને મલિનતા દૂર કરી ચેતનાને પરિષ્કર કરીએ શરીરમાં જ્યારે મળ જમા થઈ જાય છે ત્યારે આખું શરીર મલિન બની જાય છે. જ્યારે આપણું ઉત્સર્ગતંત્ર અવરોધાય છે, ત્યારે શરીરમાં જોર એકઠું થાય છે. જ્યારે મળ–નિષ્કાસનને માર્ગ સાફ રહે છે, ત્યારે જીવનની યાત્રા નિબંધપણે ચાલે છે. શરીર-પ્રેક્ષા ઉત્સર્ગતંત્રને સક્રિય અને કાર્યક્ષેમ રાખવામાં સહાયક બને છે, જેથી શરીરનું ઝેર સહજપણે વિસર્જિત થઈ જાય છે. જે પૂર્ણ શ્વાસ લેવાની ઉચિત વિધિ હાથમાં આવી જાય અને અભ્યાસ વડે માણસ એગ્ય રીતે શ્વાસ લેવાની ટેવ પાડે, તે તેની ઉત્તેજના અને વાસનાઓ તીવ્ર નથી બનતી. - શરીર-પ્રેક્ષા દ્વારા રક્તસંચરણ–તંત્ર ઠીક કામ કરવા લાગે છે, રક્ત-સંચરણમાં થનાર અવરોધો દૂર થઈ જાય છે, ધમનીઓના અવરોધ દૂર થાય છે, લેહીનું દબાણ સંતુલિત થઈ જાય છે. હદયને વધારાને શ્રમ નથી કરે 12 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76