Book Title: Prekshadhyana Sharir Preksha
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 54
________________ શીખવાડાઈ રહ્યું છે શરીરને જોવાનું. લલાટ અને ભ્રમને જુઓ, આંખે અને કાનને જુઓ. આ બધું એક આયનામાં જોઈ શકાય છે. આ કામ તે ઘરે પણ થઈ શકે છે, પછી આ શિબિરની જરૂર જ શી છે? દર્પણમાં શરીરને જેનાર ચામડીને જુએ છે, રૂપ-રંગને જુએ છે, આકૃતિને જુએ છે. બસ, એટલું જ જોઈ શકે છે. શું તમે ક્યારેય ચામડીની અંદર શું છે તે જોયું છે? પ્રાણના પ્રવાહથી થનારાં પ્રકંપને અને સ્પંદને પકડયાં છે? નહીં, એમને જાણવાને પ્રયત્ન કોણ કરે? પ્રાણની પાછળ ચેતનાની જે સક્રિયતા છે, ચેતનાને જે પ્રવાહ છે, તે તરફ માણસ ક્યારેય ધ્યાન નથી આપતે. શરીર-પ્રેક્ષા એટલે નથી કરવામાં આવતી કે રૂપરંગ જોઈ શકાય, પરંતુ એટલા માટે કરવામાં આવે છે કે આ માંસ અને ચામડાના પૂતળાની અંદર પ્રાણ અને ચેતનાને જે પ્રવાહ છે, તેની સાથે સંપર્ક સાધી શકાય. તેને સાક્ષાત અનુભવ કરવાને એક ઉપાય છે-શરીર-પ્રેક્ષા. સમાધિ સુધી પહોંચવાને આ ઉપાય છે. આપણે આ ઉપાયનું આલંબન લઈએ. આત્મદર્શનની પ્રક્રિયા આત્મદર્શનને પહેલે ઉપાય છે-શરીરને જેવું. જે વ્યક્તિને શરીર જોતાં આવડ્યું નથી, તે આત્મદર્શન નથી. કરી શકો. તમે વિચારશે, શરીરને તે જ જોઈએ છીએ. એમ ને એમ પણ જોયા કરીએ છીએ, આખું શરીર નજરે પડે છે, અને એનાથી સંતોષ નથી થતે તે અરીસે સામે રાખીને જોઈએ છીએ. આખા શરીર જેટલે અરીસે 58 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76