Book Title: Prekshadhyana Sharir Preksha
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 52
________________ નથી કરી શકાતું. શરીરને એક ભાગ છે–મન. મનના પરમાણુઓને શરીર ગ્રહણ કરે છે. મનના પરમાણુઓને ચિંતન રૂપે શરીર બદલી નાખે છે. માત્ર માનસિક પરમાણુ એનું વિસર્જન થાય છે, તે ક્ષણનું નામ છે-મન, અને આ સમગ્ર જવાબદારી સંભાળે છે, શરીર. સમસ્ત ચિંતનને ભાર, આ શરીર નિભાવે છે. વાસ્તવમાં એક જ તત્ત્વ છે– શરીર. ધાસ, મન, વચન-આ બધા ય શરીરના જ એક ભાગ માત્ર છે. તેમનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી. શરીર વિના કોઈ ચિંતન કરે એ અશક્ય છે. શરીર વિના ચિંતન, શરીર વિના વાણી અને શરીર વિના શ્વાસ ક્યારે પણ શક્ય નથી. તે બધાં શરીર દ્વારા જ ઘટિત થાય છે. આ પરમ સત્ય જાણી લીધા પછી તે ઉત્તર માટે કઈ જિજ્ઞાસા બાકી નહીં રહે કે ચિત્તની શુદ્ધિ માટે શરીરની સ્થિરતા કેમ જરૂરી છે. જ્યારે શરીર ચંચળ હોય છે ત્યારે ઇન્દ્રિય-ચેતના બહાર જાય છે, જ્યારે શરીર ચંચળ હાથ છે ત્યારે મનની ચેતના બહાર જાય છે. શરીર જેવું સ્થિર બન્યું, નિશ્ચલ બન્યું, શાંત થયું કે ઈન્દ્રિય-ચેતના પાછી ફરે છે, માનસિક-ચેતના પણ પાછી આવે છે. પ્રતિક્રમણ શરૂ થઈ જાય છે ચેતનાનું બહાર જવું અતિક્રમણ છે અને ચેતનાનું પુનઃ પોતાની અંદર આવી જવું પ્રતિક્રમણ છે. પ્રતિક્રમણ આપોઆપ શરૂ થઈ જાય છે. ચેતનાના પ્રતિકમણના લાભે જ્યારે આપણે પ્રતિક્રમણની સ્થિતિમાં હોઈએ છીએ, ત્યારે ચેતના અંદર પાછી વળે છે અને ચેતનાને બહારને 51 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76