Book Title: Prekshadhyana Sharir Preksha
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 49
________________ છીએ કે આજનો યુગ વૈજ્ઞાનિક યુગ છે અને તેમાં જ્ઞાનને ખૂબ જ વિકાસ થયે છે, પરંતુ આપણા નાડી સંસ્થાનમાં જ્ઞાનને વિકાસ કરવાની જેટલી ક્ષમતા છે, તેના પ્રમાણમાં થયેલે વિકાસ નગણ્ય છે. ઇન્દ્રિયોથી પર જે અતીન્દ્રિય ચેતના છે, તે અતીન્દ્રિય ચેતનાને જાગૃત કરી શકાય છે. મનુષ્ય અતીન્દ્રિય ચેતનાને જગાડી શકે છે અને ઇન્દ્રિયની સીમાઓને વટાવી તે સૂક્ષ્મ સત્યેને જોઈ શકે છે, જેમને ઈન્દ્રિયે કદી પણ જોઈ શકતી નથી. તે ઈન્દ્રિયે, મન અને બુદ્ધિ-આ બધી સીમાઓને પાર કરી સત્યને સાક્ષાત્કાર કરી શકે છે. બે પ્રકારનું બળ હોય છે. એક છે શરીરનું બળ અને બીજુ છે આત્માનું બળ–અધ્યાત્મનું બળ. શરીરના બળથી આપણે પરિચિત છીએ, પરંતુ અધ્યાત્મના બળથી પરિચિત નથી. અધ્યાત્મનું બળ શરીરના બળથી ઘણું વધારે હોય છે. આપણે ઈન્દ્રિયેના બળથી પરિચિત છીએ. શું ઈનિદ્રમાં એટલી જ શક્તિ છે, જેટલી શક્તિથી આપણે પરિચિત છીએ? નહીં, તેમની શક્તિ ઘણું વધુ છે. સામે પડેલી વસ્તુને જેવી એટલી જ માત્ર આંખની શક્તિ નથી. તેની શક્તિ ઘણે આગળ સુધી કામ કરે છે. સાધના કરનાર વ્યક્તિ તે શક્તિને પ્રગટ કરવાને પ્રયત્ન કરે છે. સાધના દ્વારા અગર જેવાની શક્તિને વિકાસ કરવામાં આવે તે આપણે ખૂબ ખૂબ દૂર રહેલા પદાર્થોને પણ સાક્ષાત્ જોઈ શકીએ છીએ, જેને “દૂરદર્શન” કહેવાય છે. વ્યવધાન હોવા છતાં પણ જોઈ શકાય છે. ધૂળને પણ જોઈ શકાય છે. અને સૂક્ષમને પણ જોઈ શકાય છે. 48. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76