Book Title: Prekshadhyana Sharir Preksha
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 32
________________ અંતઃસ્ત્રાવી ગ્રથિતંત્ર અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ (endocrine glands) નલિકારહિત હોય છે તેમના સા સીધા લેહીમાં જ છેડવામાં આવે છે. તેઓ આખા શરીરમાં પ્રસરી જાય છે અને ઉત્પાદન– સ્થાનથી સુદૂરનાં સ્થાને સુધી પિતાનું કાર્ય કરી શકે છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ શરીરમાં જુદાં જુદાં સ્થળે રહેલી છે. તેમ છતાં તે બધીનું એક સક્ષમતંત્ર બને છે, જે શરીરની અન્ય ક્રિયાઓમાં સંપૂર્ણ સંગતિ સાધીને તેમનું સુચારુરૂપે નિયંત્રણ કરે છે. મુખ્ય અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ આ છે–પાઈનિયલ, પિયૂટરી (પીયૂષ), થાઈરોઈડ, પેરાથાઈરોઈડ, થાયમસ, એડ્રેનલ (અધિવૃક્ક), લેંગરહાન્સ ટાપુઓ અને નાડૂઝ (કામ-ગ્રંથિઓ). આ બધી ગ્રંથિએ અપેક્ષાએ ઘણી નાની હોય છે. રક્ત દ્વારા એમને વિપુલ માત્રામાં પિષક સામગ્રી મળ્યા કરે છે. આ ગ્રંથિઓનાં ઉત્પાદને જૈવરાસાયણિક -યૌગિક (organic chemical compound) રૂપમાં હોય છે. તે સ્વલ્પ માત્રામાં પણ અધિકગણું પ્રભાવશાળી હોય છે. પાઈ નિયલ ગ્રંથિ આ ગ્રંથિનું સ્થાન મસ્તિષ્ક વચ્ચે હોય છે. આ ગ્રંથિ પરિમાણમાં અત્યંત નાની હોય છે–લગભગ ઘઉંના દાણા જેવડી. એના નામ પરથી સ્પષ્ટ છે તેમ તેને આકાર શંકુ (pinccone) જે હોય છે. તેને રંગ લાલાશ પડતે તથા તેનું વજન એક ગ્રામથી ય ઓછું હોય છે. પિયૂટરી 31 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76