Book Title: Prekshadhyana Sharir Preksha
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 40
________________ | એ | શરીર શું છે?— આધ્યાત્મિક દષ્ટિકોણ આપણું શરીર સાત ધાતુઓનું શરીર કહેવાય છે. સપ્ત ધાતુમયં શરીરમ્' – આ આયુર્વેદની પરિભાષા છે. આપણે માટે શરીર એટલે ચામડી, રેમ, વાળ, લેહી, તંત્રિકાજાળ, માંસ – શરીરનું આ જ રૂપ આપણું ચિતમાં ચૂંટી ગયેલું છે. શરીર એક, અને તેને જોવાની દૃષ્ટિએ અનેક. સામાન્ય માણસ શરીરને ચર્મમય, માંસમય, રક્તમય જુએ છે. એક ડોકટર રોગોપચારની દૃષ્ટિએ તેને જુએ છે. તેને છેડી વધુ વાતે નજરે પડે છે. કોઈ વિષયાંધ હોય છે તે શરીરને માત્ર રૂપ-રંગની દષ્ટિએ જુએ છે. એક સાધક શરીરને સાધનાના સાધનની દષ્ટિએ જુએ છે. આ સાધન વડે જ આપણી સાધનાની આગળની યાત્રા થઈ શકે છે. તેના સિવાય કોઈ સાધન આપણી પાસે નથી. યંત્રો આપણાં માધ્યમ બને છે. પરંતુ તે પણ ત્યારે માધ્યમ બને છે, જયારે શરીર પિતે માધ્યમ બને છે. જે દિવસે શરીર માધ્યમ બનતું અટકી જાય છે, યંત્ર બેકાર પડ્યાં રહે છે. કેટલાંય સૂક્ષ્મદર્શક, દૂરદર્શક કે કોઈપણ યંત્ર હે, બધાંયે યંત્ર ત્યારે જ માધ્યમ બને છે, જ્યારે શરીર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76