Book Title: Pravachansara Piyush Part 3
Author(s): Kundkundacharya, Amrutchandracharya, Himmatlal Jethalal Shah
Publisher: Grand Rapid America Mumukshu Mandal America
View full book text
________________
છે. વગેરે અનેક પ્રવૃત્તિઓ કરે છે. તેનો અહીં નિષેધ : સ્થાન છે. બન્ને પ્રકા૨ના કાર્ય ક૨વાના જ રહે છે. નથી કરવો. અહીં તો મુનિને યોગ્ય ન હોય એવાં નાસ્તિરૂપ કાર્ય તો સહજપણે થઈ જાય એમ માની વિભાવો ૫૨ના લક્ષે ન આવે તેની મુખ્યતા છે. · લેવા જેવું નથી. પદ્રવ્યો સાથે ક્ષણિક સંબંધ થવો તે એક વાત છે અને તેની સાથેના સંબંધની લાળ લંબાવવી એ જાદી વાત છે. પોતાના પરિણામમાં શિથીલતા ન આવે માટે તે પ્રયત્નપૂર્વક પરદ્રવ્ય સાથેના સંબંધને વધારતા નથી, આવકારતા નથી.
ગાથા-૨૧૪
: જે શ્રમણ જ્ઞાન-દગાદિકે પ્રતિબદ્ધ વિચરે સર્વદા, ને પ્રયત મૂળગુણો વિષે, શ્રામણ્ય છે પરિપૂર્ણ ત્યાં. ૨૧૪. જે શ્રમણ સદા જ્ઞાનમાં અને દર્શનાદિકમાં પ્રતિબદ્ધ તથા મૂળગુણોમાં પ્રયત (પ્રયત્નશીલ) વિચરે છે, તે પરિપૂર્ણ શ્રામણ્યવાળો છે.
:
ઉપાદાન અને નિમિત્ત - આ સમજણપૂર્વકની · ચોખવટનો વિષય છે. તેની સ્પષ્ટતા ઉપર નિઃશંકતા અને આચરણનો આધાર છે. બે પદાર્થોની સ્વતંત્રતાના સ્વીકા૨પૂર્વક બે પદાર્થો વચ્ચેના સંબંધના મેળ વિશેષને જો સારી રીતે અને સાચા અર્થમાં સમજી શકે તો તેને અવશ્ય લાભ થાય. અલગતા અને સંબંધ - પ્રભુત્વ અને વિભુત્વ,
=
:
મહાસત્તા અને અવાંતર સત્તા - આ બધું યોગ્ય રીતે ખ્યાલમાં લેવું અત્યંત જરૂરી છે. અજ્ઞાન દશા - સાધક દશા અને પરમાત્મ દશા એવું યથાર્થ ચિત્ર ખ્યાલમાં લેવું જોઈએ. આ સ્વરૂપ ત્રણે કાળ માટે એક સ૨ખું જ છે. સાધકને સ્વ-૫૨નો વિવેક-જ્ઞાન અને શ્રદ્ધાન સમાન છે. તે પ્રમાણે આચરણ પણ છે. આ રીતે જ્ઞાન-દર્શન-ચારિત્ર એ ત્રણના પરિણામોનો સાધક દશામાં સુમેળ જ છે. પોતાના પરિણામ અનુસા૨ ૫દ્રવ્યો સાથેના સંબંધનો પણ સુમેળ જ છે. જેને નિમિત્ત નૈમિત્તિક સંબંધરૂપે લક્ષમાં લેવામાં આવે છે. ‘‘દ્રવ્ય અનુસાર ચરણ’’ એ ઉક્તિ પ્રમાણે પોતાના ભાવ અનુસાર બાહ્ય સંબંધો પણ બદલાતા જાય છે. આવા મેળ વિશેષો જે રીતે વિશ્વમાં બની રહ્યા છે તેને બરોબર પોતાના જ્ઞાન-શ્રદ્ધાનમાં લઈને પછી કદાચ કયારેક જ્ઞાની ઉપાદાનની મુખ્યતાથી કથન કરતાં હોય છે અને કયારેક નિમિત્તની મુખ્યતાથી પણ કથન કરતા હોય છે. તે બન્ને કથન સાચા છે. અસ્તિપણે જ્ઞાન અર્થાત્ શુદ્ધતા
મુનિરાજ મોક્ષમાર્ગની પર્યાયરૂપે પરિણમે છે, તે એક જ પર્યાય છે. તે પર્યાય મિશ્ર પર્યાય છે. ત્યાં વધુ શુદ્ધતા અને ઓછી અશુદ્ધતા છે. એ ભેદ તો
અને નાસ્તિપણે વૈરાગ્ય બન્નેને જિનાગમમાં યથાર્થ : પ્રયોજનવશ (પાડવામાં આવે છે. મુનિરાજ પોતાની
૩૦
ચરણાનુયોગસૂચક ચૂલિકા
ગા. ૨૧૩માં મૂળગાથામાં પ્રતિબંધ શબ્દ છે. જ્યારે આ ગાથામાં પ્રતિબદ્ધ શબ્દ છે. બે દ્રવ્ય વચ્ચેનો સંબંધ દર્શાવવા માટે બંધ શબ્દનો પ્રયોગ અને એક પદાર્થમાં તાદાત્મ્યપણું સમજાવવા માટે બદ્ધતાનો શબ્દ પ્રયોગ કરવામાં આવે છે.
આ ગાથામાં અસ્તિપણે જીવે શું કરવા લાયક છે તે વાત લીધી છે. જીવે પોતાના સ્વભાવમાં જ
સ્થિતપણું કરવા યોગ્ય છે. સાધક દશામાં મુનિરાજે આ પ્રમાણે જ ક૨વું યોગ્ય છે. પરદ્રવ્યમાં રુકાવટના સ્થાને અહીં સ્વદ્રવ્યમાં પ્રતિબદ્ધતાની વાત લીધી છે. જે ઉપયોગ બાહ્યમાં સ્થિત હોય તેને ત્યાંથી
:
છોડાવવાની વાત પ્રથમ કરી અને તે ઉપયોગને અંદરમાં ટકાવવાની વાત પછી કરે છે. વ્યયપૂર્વક ઉત્પાદ છે એ પ્રકારનું કથન છે. વૈરાગ્યની મુખ્યતાથી વાત ૨૧૩ ગાથામાં હતી. એક ન્યાયથી જીવ જ્યારે અસ્તિપણે પોતાનામાં ટકે છે ત્યારે સહજપણે પરથી ખસે છે એમ કહી શકાય છે. અહીં આ ગાથામાં અસ્તિથી વાત સમજાવે છે.