Book Title: Pravachansara Piyush Part 3
Author(s): Kundkundacharya, Amrutchandracharya, Himmatlal Jethalal Shah
Publisher: Grand Rapid America Mumukshu Mandal America
View full book text
________________
કરે તો તેને સમજણ ન પડે. તેથી આપણે પ્રત્યક્ષ જ્ઞાનીના યોગથી શરૂઆત કરીશું. પાત્ર જીવને આવા જ્ઞાનીનો યોગ થાય છે. તેની પાસેથી તે ઉપદેશ સાંભળે છે. ઉપદેશ એ દેશના છે અને પાત્ર જીવ તે ઉપદેશને ગ્રહણ કરે છે ત્યારે તેને દેશના લબ્ધિ કહેવામાં આવે છે. ઉપદેશ તત્કાળ બોધક છે. આત્માના ત્રિકાળ સ્વભાવને મુખ્ય રાખીને જીવનું સ્વરૂપ અને ત્યારબાદ છ દ્રવ્ય નવ તત્ત્વનું સ્વરૂપ
: સ્વરૂપનો ખ્યાલ આવે છે. તે પોતાના સ્વરૂપને પણ નય વિભાગથી જાણે છે. અનુમાન પ્રમાણ અર્થાત્ મનના સંગે આત્માનો સ્વભાવ જેવો છે તેવો જ જાણે છે પરંતુ તે જ્યારે નયાતિક્રાંત થાય ત્યારે જ તે ભાવશ્રુત પ્રમાણ જ્ઞાન થાય છે.
:
:
પણ એજ રીતે શુદ્ધાત્માની મુખ્યતાથી સમજવું જોઈએ એવું માર્ગદર્શન પાત્ર જીવને જ્ઞાની ગુરુ પાસેથી મળે છે. જીવ-દ્રવ્યકર્મ-શરીર અને સંયોગો બધા એકબીજા સાથે અનેક પ્રકારના નિમિત્ત નૈમિત્તિક સંબંધોથી ગૂંથાયેલા છે. અજ્ઞાની જીવ શરીરની મુખ્યતા રાખીને જીવન જીવે છે. શાસ્ત્રમાં કયારેક દ્રવ્યકર્મની મુખ્યતાથી પણ વાત આવે. પંડિતો દ્રવ્યકર્મની મુખ્યતાથી શાસ્ત્રાભ્યાસ કરાવતા હતા. સંયોગો માણસને ઘડે છે એવું લાગે છે તેથી સંયોગાધીન દ્રષ્ટિથી પણ જોવાની ટેવ હોય છે. પરંતુ આચાર્યદેવનું હાર્દ અલગ છે. પૂ.ગુરુદેવે આપણને શાયકની મુખ્યતાથી જ બધું સમજવાનું શીખવ્યું છે અને એ જ અનંતા આચાર્યોનું હૃદય છે. પ્રત્યક્ષ જ્ઞાનીના યોગની કિંમત હવે ખ્યાલમાં આવશે. વળી જ્ઞાની સાધના કરી રહ્યા છે અને પાત્ર જીવ તે પ્રયોગને લક્ષમાં લઈને તેમાંથી શીખે છે. ઉપદેશના શબ્દો : સમજાવ્યું છે. બહિરંગ નિમિત્ત છે અને જ્ઞાનીની આત્મસાધના અંતરંગ નિમિત્ત છે. પ્રત્યક્ષ જ્ઞાનીનો નિકટ યોગ પ્રાપ્ત થાય અને તે કાળ લાંબો હોય તો પાત્ર જીવને વિશેષ લાભનું કારણ થાય છે. ઉપદેશ તત્કાળ બોધક છે. જ્યારે આગમ નિત્ય બોધક છે.
સમ્યગ્દર્શનની પ્રગટતા થતાં સ્વાનુભૂતિ થાય છે. જ્ઞાનની પૂર્વભૂમિકા હોય તેના ઉ૫૨ જ સ્વરૂપને જાણીને જ્ઞાન પણ નિર્ણયાત્મક થાય છે. શ્રદ્ધા પોતાનું કાર્ય કરે છે. અનેક પડખેથી વસ્તુ
:
એવા જ્ઞાનની સાથે શ્રદ્ધા પણ પોતાની રીતે આત્મસ્વરૂપનો અભ્યાસ કરીને નિર્ણય લે છે. તેથી ‘‘જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન'' એવો શબ્દ પ્રયોગ ક૨વામાં આવે છે. અજ્ઞાન દશામાં ૫૨માં હિતબુદ્ધિ હતી. દેહમાં હુંપણું હતું. તે છોડીને તે શાયક સ્વભાવમાં હુંપણું સ્થાપે છે. ૫૨ને ૫૨ જાણીને તેને ત્યાગે છે અને તેમાં આગળ વધતા તેને સંયમનું પાલન મુનિદશા હોય છે. પાત્ર જીવની આત્મ સાધનાનો આ ક્રમ છે.
:
આ ગાથામાં એવું કહેવા માગે છે કે જેને આગમ જ્ઞાનપૂર્વક તત્વાર્થ શ્રદ્ધાન ન હોય તેને સંયમ હોય શકે નહી. સંયમમાં છકાય જીવની અહિંસા અને પાંચ ઈન્દ્રિય તથા મનના નિરોધની વાત છે. અજ્ઞાનીને આવો સંયમ હોતો નથી એમ આ ગાથામાં
આ અપેક્ષાએ આગમ વિશેષ લાભનું કારણ ખ્યાલમાં આવે છે. આગમ પ્રમાણરૂપ છે એવું : આપણે આગલી ગાથામાં વિચાર્યું છે. તેથી તે અનુસાર અભ્યાસ ક૨ના૨ને વસ્તુના અનેકાંત
८०
જિનાગમમાં મિથ્યાત્વને જ મોટામાં મોટું પાપ ગણવામાં આવ્યું છે. અજ્ઞાની જીવ પોતાના સ્વભાવને જાણતો નથી. પોતાના સ્વભાવનો તેને સ્વીકા૨ નથી તેથી તેણે અભિપ્રાયમાં પોતાનો નાશ માન્યો છે. જેને જિનાગમમાં ભાવમ૨ણ કહેવામાં આવે છે. અજ્ઞાની સમયે સમયે ભાવમરણ કરે છે.
તેથી તેને ધારાપ્રવાહરૂપ હિંસા હોય છે.
અન્ય જીવનું જીવન-મરણ તે જીવની ઉપાદાનની ચરણાનુયોગસૂચક ચૂલિકા