Book Title: Pravachansara Piyush Part 3
Author(s): Kundkundacharya, Amrutchandracharya, Himmatlal Jethalal Shah
Publisher: Grand Rapid America Mumukshu Mandal America
View full book text
________________
તેને ભક્તિના ભાવમાં પણ ફરી કુદેવાદિનો જ સંગ : શાસ્ત્ર-ગુરુ જ શુદ્ધતાના નિમિત્તો છે. તેમની
થાય એવું ફળ મળે છે. જેથી તેની વિપરીત માન્યતાને
પાસેથી તત્ત્વ સમજીને પાત્ર જીવ પોતાની પર્યાયમાં શુદ્ધતા પ્રગટ કરે છે. જે સ્વયં શુદ્ધ છે તે શુદ્ધતામાં
:
નિમિત્ત થાય છે. પાત્ર જીવ જ્ઞાની ગુરુની સેવા કરે છે કારણકે તેને વીતરાગતા ગમે છે. એ જીવ સાધક
:
ફરીને પુષ્ટ કરી શકે. એમ હોતા એને સાચી વાત લક્ષમાં ન આવે અને આત્મકલ્યાણ ન થાય. એનાથી વિશેષ વાત એ છે તે ભલે વર્તમાનમાં શુભ ભાવ કરે છે. પરંતુ બધા અજ્ઞાની જીવોને શુભ કરતાં અશુભ ભાવની મુખ્યતા હોય છે. તેને અશુભ પ્રવૃત્તિ ગમે છે. તેમાં તે ઈન્દ્રિય સુખનો અનુભવ કરે છે. તેથી આ પ્રકારની વૃત્તિવાળા જીવો પણ અશુભભાવ તરફ ખેંચાતા રહે છે. તેથી આ ગાથામાં એ ભાવનું ફળ પાપ છે એમ કહીને પાત્ર જીવોને ચેતવણી આપી
:
:
છે.
:
થાય ત્યારે સુદેવાદિ તેમાં નિમિત્ત છે. કોઈ જીવ એવી શુદ્ધ દશા પ્રગટ ન કરી શકે તો સાચા દેવાદિ પ્રત્યેના વલણને કારણે તેને પુણ્યબંધ અવશ્ય થાય છે. તેથી સાચા દેવ એ જીવને શુભ ભાવમાં નિમિત્ત ગણાય છે. જિનાગમ કહે છે કે જો તું વીતરાગી : દેવને રાગમાં, શુભભવામાં નિમિત્ત બનાવીશ તો વિશ્વમાં શુદ્ધતાનું નિમિત્ત કોણ થશે ? પરમાત્મા વીતરાગ છે માટે તું તેને તારી વીતરાગતામાં જ નિમિત્ત બનાવ. તેના લક્ષે તું શુભભાવ પ્રગટ કરવાને
:
:
બદલે શુદ્ધતા પ્રગટ કરી લે. આ રીતે આ ગાથામાં
કુદેવાદિના લક્ષે કોઈ જીવ આત્મકલ્યાણ કરી શકે નહીં એમ દર્શાવ્યું.
:
હવે કહે છે કે ‘વિષય કષાય પુરુષો’' અર્થાત્ કુગુરુઓ તેની સેવા કરનારા અન્ય જીવોને પુણ્યમાં
પણ નિમિત્ત થતા નથી. (પાપમાં જ નિમિત્ત થાય છે) તેથી તેઓ મોક્ષના નિમિત્ત તો ક્યાંથી થાય ? ખ્યાલમાં રહે કે નિમિત્ત થવાતું નથી. પરંતુ નિમિત્ત બનાવાય છે. અર્થાત્ ઉપાદાન પ્રમાણે જે કાર્ય થાય ત્યારે તેમાં જે અનુકૂળ હોય તેને નિમિત્ત કહેવાય છે. પ્રતિકૂળ સંયોગોમાં એક જીવ આર્તધ્યાન કરે છે તો તે કર્મોદયને પાપનો ઉદય કહેવાય. એ જ સંયોગોમાં જો એ જીવ શાંતિ રાખે તો તેને પુછ્યોદય કહેવાય છે. આ રીતે મુખ્ય વજન તો ઉપાદાનમાં શું કાર્ય થાય છે તેના ઉ૫૨ છે.
ગાથા = ૨૫૯
તે પુરુષ જાણ સુમાર્ગશાળી, પાપ-ઉપરમ જેહને, સમભાવ જ્યાં સૌ ધાર્મિકે, ગુણસમૂહસેવન જેહને. ૨૫૯.
:
જેને પાપ વિરામ પામ્યું છે, જે સર્વ ધાર્મિકો પ્રત્યે સમભાવવાળો છે અને જે ગુણ સમુદાયને સેવનારો છે તે પુરુષ સુમાર્ગવંત છે.
:
એક જીવ ભોગની ઈચ્છાથી ભગવાનની ભક્તિ કરે છે તો તે કુદેવ તેને અશુભ ભાવમાં નિમિત્ત થાય છે. આ રીતે વિચારતા કુદેવ પણ અશુભભાવમાં નિમિત્ત છે શુભ ભાવમાં નહીં એવું કથન અહીં કર્યું છે. કોઈને અશુભભાવની મુખ્યતા: ન હોય તો તેવા જીવને કુદેવ શુભભાવમાં પણ નિમિત્ત ગણાય છે. આ રીતે કુદેવાદિ અન્ય જીવોને શુભ અથવા અશુભભાવના નિમિત્ત થાય છે. શુદ્ધતાના નિમિત્ત તો કયારેય થતા નથી. સાચા દેવ
•
૧૧૪
સારું ફળ જેના નિમિત્તે પ્રાપ્ત થાય છે તે ‘અવિપરીત કારણ’’ કેવું છે તે આ ગાથામાં કહે છે. અહીં ભાવલિંગી સંતને, શ્રમણને અવિપરીત કારણરૂપે દર્શાવવા માગે છે. તેઓ પાપથી અર્થાત્ શુભભાવથી નિવર્ત્યા છે. તેઓ પોતે સામ્ય ભાવરૂપે પરિણમ્યા છે માટે તેમને બધા પ્રત્યે સમભાવ છે. “સર્વ ધર્મો પ્રત્યે સમભાવ'' શબ્દનો ભાવ સાચા અર્થમાં સમજવો જરૂરી છે. બધા ધર્મો સમાન છે એવો ભાવ કોઈ તેમાંથી લેવા માગે તો એવો અર્થ
ચરણાનુયોગસૂચક ચૂલિકા