Book Title: Pravachansara Piyush Part 3
Author(s): Kundkundacharya, Amrutchandracharya, Himmatlal Jethalal Shah
Publisher: Grand Rapid America Mumukshu Mandal America
View full book text
________________
આપણે સર્વ પ્રથમ દ્રવ્યની સત્તા ગુણથી નિરપેક્ષ લીધી અને તેને એક સ્વભાવરૂપ ગણીને તેનું સ્વતંત્ર કાર્ય જોયું. ત્યારબાદ તે દ્રવ્યને અનંત
અન્ય દૃષ્ટાંતમાં બહેનો રોજ રસોઈ કરતી : ગુણોના એકત્વરૂપ લક્ષમાં લીધું તેથી ત્યાં
વખતે દાળ ચાખે છે ત્યારે તેનો સ્વાદ બરોબર છે કે નહીં તે નક્કી કરે છે તેની સાથોસાથ તેમાં ગળાશ, ખટાશ, તીખાશ,ખારાશનો પણ તેને બરોબર ખ્યાલ છે. તે નક્કી કરવા માટે તેને વધારાની અલગ ચમચી દાળ ચાખવી પડતી નથી. આ સિદ્ધાંત આપણે આ રીતે લક્ષમાં લઈ શકીએ છીએ.
અનંત ગુણોના એકત્વરૂપ કાર્ય પણ જોવા અવશ્ય મળે છે. તેથી તો દ્રવ્યનું કાર્ય શું ? મોક્ષમાર્ગ કોને કહેવાય? ત્યારે સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાનસમ્યકચારિત્રાણિ મોક્ષમાર્ગ એમ કહીએ છીએ. પરંતુ આ રીતે જ આપણને વિચારવાની ટેવ પડી છે. અનંત ગુણોનું એકરૂપ કાર્ય તે દ્રવ્યનું કાર્ય પરંતુ તેથી અલગ એવું દ્રવ્યનું પોતાનું સ્વતંત્ર કાર્ય છે એનો આપણે વિચાર કરી શકતા નથી.
આપણે ખરેખર દૂધીયાનો એકરૂપ સ્વાદ પણ લીધો : હતો અને બહુરૂપ સ્વાદ પણ લીધો હતો. તેથી જ આ રીતે વિચારી શકાય છે.
એકત્વ
—
એક
અનેક
અહીં જે અનેક અવાંતર સત્તારૂપ છે તેને એક સ્વભાવ કહીએ તો જે એકત્વ છે તે બહુસ્વભાવી એક છે. પછી તે એકત્વને એકરૂપે લક્ષમાં લઈએ ત્યારે તે એકરૂપ એક જ ખ્યાલમાં આવે છે. અહીં બીજો દૃષ્ટાંત : એક કિલોમીટરમાં ૧૦૦૦ મીટર હોય છે. તેથી કિલોમીટ૨ એકત્વના સ્થાને : બહુસ્વભાવી એકરૂપ છે અને મીટર એક સ્વભાવી : સત્તા સ્થાપી બન્નેના સ્વતંત્ર કાર્યો લક્ષમાં લેવા એક છે. બીજી રીતે વિચારીએ તો કાપડની લંબાઈ : અને પછી ઉપર અને નીચેના સંબંધોથી થતા માપવા માટે મીટ૨ એકમ છે અને બે ગામ વચ્ચેનું કાર્યો લક્ષમાં લેવા અર્થાત્ એકત્વરૂપ કાર્યોને
બીજી રીતે વિચારતા જે દ્રવ્યને જ સત્તા આપે છે અને ગુણોને તો તેના ભેદરૂપ વર્ણન (વિશેષણ) રૂપ જ માને છે તેને દ્રવ્યનું કાર્ય જ દેખાય છે. તે ગુણના સ્વતંત્ર કાર્યનો સ્વીકાર કરી શકતો નથી. તેની માન્યતામાં જીવ જ જાણવાનું કામ કરે છે. જ્ઞાન સાધન માત્ર છે પરંતુ જાણવાનું કામ જ્ઞાન નથી કરતું એવી તેની માન્યતા છે. તેથી આ પ્રકારની એકાંત માન્યતાઓથી બચવા માટે સર્વ પ્રથમ દ્રવ્ય અને ગુણ બન્નેની સ્વતંત્ર
પછીથી લક્ષમાં લેવા.
અંત૨ કિલોમીટ૨ના એકમ વડે માપવામાં આવે છે. ત્યાં કિલોમીટરના હજા૨ મીટર થાય એવી દૃષ્ટિને સ્થાન જ નથી.
શાસ્ત્રમાં આચાર્યદેવે અનેક નદીઓના પાણી અને સમુદ્રનો દૃષ્ટાંત લીધો છે. તે દૃષ્ટાંત એક દેશ લાગુ પડે છે કારણકે નદી અને સમુદ્રના ક્ષેત્ર અલગ છે. સમુદ્ર અનેક નદીઓના પાણીનો બનેલો છે પરંતુ ત્યાં નદીના પાણીને અલગ પાડી શકાતું નથી. બધા પાણી એકરૂપ થઈ ગયા છે.
૨૧૦
શ્લોક - ૧૯
ઉપરોક્ત સિદ્ધાંતને લક્ષમાં રાખીને આ શ્લોક કહેવામાં આવ્યો છે. આત્મ દ્રવ્ય શુદ્ધ ચૈતન્ય માત્ર લક્ષમાં લેવાની વાત ક૨વામાં આવી છે. આત્મ દ્રવ્ય સામાન્ય તત્ત્વ એ અનંત ગુણાત્મક છે. એ સામાન્ય સ્વભાવને પ્રમાણ જ્ઞાન વડે પણ જોઈ શકાય છે અને સમ્યક નયો વડે પણ જોઈ શકાય છે. લક્ષમાં રહે કે અહીં અજ્ઞાનીના એકાંત નયની વાત નથી
ચરણાનુયોગસૂચક ચૂલિકા