Book Title: Pravachansara Piyush Part 3
Author(s): Kundkundacharya, Amrutchandracharya, Himmatlal Jethalal Shah
Publisher: Grand Rapid America Mumukshu Mandal America
View full book text
________________
પદાર્થની સ્વતંત્રતા અને અસ્તિ-નાસ્તિ : પર્યાયરૂપે સ્વતંત્રપણે પરિણમે છે અને તે અનુસાર
અન્ય દ્રવ્યો સાથેના સંબંધનો પ્રકાર પણ અલગ પ્રકારનો લક્ષગત થાય છે.
ટકાવીને પદાર્થો વચ્ચે જે વિશ્વવ્યાપી સંબંધો જોવા મળે છે તેને નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહેવામાં આવે છે. એક પદાર્થનું જે એક અખંડ સત્ છે તેમાં દ્રવ્યગુણ-પર્યાય બધું તાદાત્મ્યસિદ્ધ સંબંધરૂપ છે. એક પદાર્થ અંતર્ગત જે તાદાત્મ્ય છે એવું તાદાત્મ્ય અર્થાત્
એવા સંબંધો અન્ય પદાર્થ સાથે નથી હોતા. બે પદાર્થો વચ્ચેના સંબંધો તાદાત્મ્યરૂપ નથી પરંતુ નિમિત્ત નૈમિત્તિકરૂપ છે. નિત્ય એવા દ્રવ્ય સામાન્ય સ્વભાવો અને ગુણો પરપદાર્થના દ્રવ્ય કે ગુણ સાથે સંબંધમાં નથી આવતા. નિમિત્ત નૈમિત્તિક સંબંધ માત્ર બે પદાર્થોની સમયવર્તી પર્યાયો વચ્ચે જ હોય છે. આવી વિશ્વની નિર્દોષ વ્યવસ્થા છે. તેથી નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ નિર્દોષ છે પણ એક વિશિષ્ટતા છે.
જીવનો જ્યારે વિચાર કરીએ ત્યારે અર્થાત્
જે બે પદાર્થો વચ્ચેના સંબંધનો વિચાર કરીએ છીએ
:
ત્યારે જો જીવ એક સભ્ય હોય તો જીવને પરદ્રવ્ય સાથેના સંબંધના બે પ્રકા૨ જોવા મળે છે. જીવ અશુદ્ધ અને શુદ્ધ એવી બે પ્રકારની પર્યાયરૂપે પરિણમે છે માટે ૫૨ સાથેના સંબંધના પણ બે પ્રકાર લીધા છે. જીવ વિભાવરૂપે પરિણમે છે ત્યારે ત્યાં ભાવકર્મ,
સ્વભાવનય અને અસ્વભાવનય બન્નેમાં પુરુષાર્થની જ વાત કરવી છે તે મુખ્ય છે. અસ્વભાવનયમાં પુરુષાર્થને અનુરૂપ નિમિત્ત કેવા પ્રકારનું હોય છે તેનું જ્ઞાન કરાવવું છે. જીવ સ્વભાવ સન્મુખના પુરુષાર્થ દ્વારા સમ્યગ્દર્શન, મુનિદા અને પરમાત્મપદની પ્રાપ્તિ સ્વયં કરે છે. ૧૬મી ગાથામાં સર્વજ્ઞ પ૨માત્માને આ અપેક્ષાએ જ ‘‘સ્વયંભૂ’’ કહ્યા છે. આ સ્વભાવનયની વાત છે. હવે જીવ જ્યારે આ પ્રકારે શુદ્ધતા પ્રગટ કરવાનો
દ્રવ્યકર્મ અને નોકર્મ એ પ્રકારના નિમિત્ત નૈમિત્તિક : પુરુષાર્થ કરે છે ત્યારે તેને સાચા દેવ શાસ્ત્ર ગુરુનો
સંબંધો હોય છે અને તે દોષિત છે. માટે અજ્ઞાની જીવને પદ્રવ્ય સાથે જે સંબંધો છે તેને નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહેવામાં આવે છે અને તે દોષિત
છે.
યોગ પ્રાપ્ત થાય છે. એવા યોગ્ય નિમિત્તો એને મળી રહે છે તે અસ્વભાવનય છે. જિનાગમમાં સ્વયંબુદ્ધત્વ અને બોધિત બુદ્ધત્વ એમ બે પ્રકારે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ દર્શાવવામાં આવે છે. જીવ પોતાના ઉપાદાન અનુસાર પુરુષાર્થ પ્રમાણે જ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે છે પરંતુ ત્યાં દેશનાલબ્ધિનો નિયમ પણ છે. અર્થાત્ અનાદિ મિથ્યાદૃષ્ટિ જીવ જ્ઞાની ગુરુના પ્રત્યક્ષ સમાગમમાં આવીને તેની : પાસેથી શુદ્ધત્મા અને તેની પ્રાપ્તિના ઉપાયનો છે અને તેને જ્ઞેય જ્ઞાયક સંબંધ કહેવામાં આવે છે. • ઉપદેશ મેળવે છે. જ્ઞાનીનો ઉપદેશ એ દેશના છે આ રીતે વિચારતા જીવ પોતાની બે પ્રકા૨ની : અને શિષ્ય એ ઉપદેશને ગ્રહણ કરીને પોતાનું
અશુદ્ધરૂપના પરિણમને કરોતિ ક્રિયા કહેવામાં આવે છે. તે જીવ જ્યારે જ્ઞાની થાય છે ત્યારે કરોતિ ક્રિયાના સ્થાને તે જ્ઞપ્તિ ક્રિયા કરે છે. તે શુદ્ધ પર્યાય છે. જ્ઞાનીને પરદ્રવ્ય સાથેના જે સંબંધો છે તે શુદ્ધ
૧૮૦
ચરણાનુયોગસૂચક ચૂલિકા
:
અનિયતિનયનું સ્વરૂપ લક્ષમાં લીધું ત્યારે જીવ એ વાત ખ્યાલમાં લીધી છે. હવે અહીં જીવની શુદ્ધ અશુદ્ધ પર્યાયરૂપે પરિણમવાની યોગ્યતા ધરાવે છે
પર્યાયની પ્રગટતાની વાત કરવી છે. નિયતિનયમાં જીવના શુદ્ધ સ્વભાવ અને શુદ્ધ પરિણામની વાત હતી પરંતુ ત્યાં બે નયનું સ્વરૂપ સાથે વિચારતા જીવમાં શુદ્ધ અને અશુદ્ધ બન્ને પ્રકારના પરિણામોને કરવાની યોગ્યતાની વાત હતી. અહીં ઉપાદાન અને નિમિત્ત એ પ્રકારે વાત લેવી છે.
: