Book Title: Pravachansara Piyush Part 3
Author(s): Kundkundacharya, Amrutchandracharya, Himmatlal Jethalal Shah
Publisher: Grand Rapid America Mumukshu Mandal America
View full book text
________________
“સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્ ચારિત્રાણિ, : લક્ષમાં લે તે જ્ઞાન પ્રયોજનવાન છે. જે જ્ઞાન પોતાના
:
મોક્ષમાર્ગઃ’’ જે મોક્ષમાર્ગ છે તે જીવની સાધક દશા છે. તેનું ભેદથી વર્ણન કરવું હોય તો જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ ગુણોને મુખ્ય કરીને કથન આવે. ગુણ ભેદ પાસેનું કાર્ય પાત્ર જીવ સમજી શકે છે તેથી તેને એ પ્રકારે મોક્ષમાર્ગનું સ્વરૂપ : સમજાવવામાં આવે છે. બધા ગુણો એકી સાથે જ પરિણમે છે. પરિણામ ન હોય એવું કયારેય બને નહીં. તેથી મોક્ષમાર્ગની પર્યાય સમયે પણ જ્ઞાનદર્શન અને ચારિત્ર ગુણની પર્યાયો એકી સાથે જ
આત્માને અનેકાંતપૂર્વક સમ્યક્ એકાંતરૂપે લક્ષમાં લઈને તે જ્ઞાયક સ્વભાવને આશ્રયભૂત તત્ત્વરૂપે દર્શાવે તે જ્ઞાન સમ્યજ્ઞાન છે. પોતાને અનેક : અપેક્ષાએ લક્ષમાં લઈને જે જ્ઞાન નિર્ણયાત્મક હોય તે જ્ઞાન સાચું છે.
સમ્યરૂપ હોય છે. આમ હોવા છતાં આચાર્યદેવ આ ગુણની પર્યાયનો એક ક્રમ આપણને સમજાવે છે. તે આ પ્રમાણે છે. સર્વ પ્રથમ જ્ઞાન, જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન, જ્ઞાનશ્રદ્ધાનપૂર્વક ચારિત્ર. હવે આ ક્રમ સર્વ પ્રથમ યથાર્થરૂપે આપણા લક્ષમાં લઈએ.
:
જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન હોય છે. જ્ઞાન ભલે નિર્ણયાત્મક હોય. એ નિર્ણય ભલે તદ્ન સાચો હોય તો પણ જ્યાં સુધી તેની ખાત્રી, કસોટી ન કરવામાં પ્રતીતિ કરવી એ દર્શન ગુણનું કાર્ય છે. જ્ઞાનની આવે ત્યાં સુધી નકામું છે. ખરાઈ ક૨વી અને તે ભૂમિકા ઉપર જ શ્રદ્ધા પોતાનું કાર્ય કરી શકે છે. જ્ઞાન વિનાના શ્રદ્ધાનની કોઈ કિંમત નથી. જેને
રૂપે
પૂર્વ
નિર્ણયાત્મક જ્ઞાનનો ટેકો છે તે સાચી શ્રદ્ધા છે. જ્ઞાન અનાદિકાળથી અન્યથા પ્રકારે જ વસ્તુ સ્વરૂપ : દર્શાવતું હતું. તે જ્ઞાનની કસોટી કર્યા વિના શ્રદ્ધા અને આચરણ પણ અન્યથારૂપે વિપરીતરૂપે જ અનાદિથી પરિણમ્યા હતા. તેથી હવે જ્યારે નિજકલ્યાણની ભાવના છે ત્યારે કસોટી કર્યા બાદ જ શ્રદ્ધા પોતાનો નિર્ણય ફે૨વે છે. શરીરમાંથી હુંપણું છોડીને જ્ઞાયક સ્વભાવમાં હુંપણું સ્થાપે છે.
:
જિનાગમના અભ્યાસ વડે જે જ્ઞાન થાય છે તે શાસ્ત્રજ્ઞાન છે. ત્યાં શબ્દોનું જ્ઞાન છે. શબ્દો વાચકરૂપે અરૂપી આત્મા અને તેના ગુણ પર્યાયોને વાચ્યરૂપે દર્શાવે છે. પરંતુ આપણે એ વાચ્ય સુધી પહોંચવું જરૂરી છે. જો વાચ્ય સુધી પહોંચીએ તો જે શાસ્ત્ર જ્ઞાન હતું તે જરૂરી હતુ અને યોગ્ય હતું પરંતુ માત્ર શાબ્દિક જ્ઞાન જ રહે અને ભાવ શ્રુતજ્ઞાન પ્રગટ ન થાય તો તેની કોઈ કિંમત નથી. અભવ્ય જીવોને પણ ૧૧ અંગનું જ્ઞાન સંભવે છે.
:
પ્રયોગ પૂર્વક સ્વભાવનું ગ્રહણ અને વિભાવનો ત્યાગ હોય તે સમ્યજ્ઞાન છે. અહીં એવા જ્ઞાનને જ્ઞાન કહ્યું છે. પોતાના આત્માને તેના ત્રૈકાલિક સામર્થ્યરૂપે લક્ષમાં લેવો તે સમ્યજ્ઞાન છે. જે જ્ઞાનમાં પોતાને પોતાના સ્વભાવનો મહિમા આવે એ જ્ઞાન સાચું. જે જ્ઞાન પોતાના આત્માને અનેકાંત સ્વરૂપ
૨૦૦
:
દર્શન ગુણના ભાગે એક અન્ય કાર્ય પણ છે જેને ચારિત્ર સાથે સંબંધ છે. ૧૮મી ગાથામાં એની સ્પષ્ટતા કરી છે. જ્ઞાયકનો આશ્રય કરવાથી અવશ્ય કર્મથી છૂટાશે એવો નિર્ણય પણ શ્રદ્ધાએ લેવાનો
જે જ્ઞાનમાં સ્વ-પરના જુદાપણાનો વિવેક હોય તે સમ્યગ્નાન છે. જે જ્ઞાન સમ્યગ્દર્શન સહિત હોય તે સમ્યજ્ઞાન છે. જે જ્ઞાનમાં ભેદજ્ઞાનના · હોય તો તેની સેવા કરવી નકામી. અજ્ઞાની જીવ
:
છે. દૃષ્ટાંતમાં રાજા પાસે પૈસો છે પરંતુ તે કંસ
બાહ્યમાંથી સુખ શોધે છે તે માટે પ્રયત્ન કરે છે. અચેતન વિષયોમાં સુખ નથી તેથી તેની મહેનત નકામી જાય છે. આત્મા પોતે સુખ સ્વભાવી અવશ્ય છે. પરંતુ તે ત્રિકાળ સ્વભાવ પણ જો સુખ ન આપવાનો હોય તો તેનું અવલંબન લેવાનો પ્રશ્ન રહેતો નથી. પરાશ્રયે દુ:ખ અને સ્વાશ્રયે અવશ્ય ચરણાનુયોગસૂચક ચૂલિકા