________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૩૮ – ૯ સંસ્કૃત ટીકામાં એવું લીધું છે કે આ દ્રવ્યન્દ્રિયો-જડ; આ ભાવેન્દ્રિયો એક એક વિષયને જાણવાવાળી; અને ઇન્દ્રિયોના (વિષયભૂત પદાર્થો) –ભગવાન અને ભગવાનની વાણી, સ્ત્રીકુટુંબ-પરિવાર (એમાં આવી જાય છે);-એ ઇન્દ્રિય છે. (એ) ત્રણેયને ઇન્દ્રિય કહી છે! અમૃતચંદ્ર આચાર્ય સંસ્કૃત ટીકામાં ત્રણેયને ઇન્દ્રિય કહી છે. (અ) અણઇન્દ્રિય ભગવાન આત્મા છે. આહા... હા! આ જડ ઇન્દ્રિય; ભાવ ઈન્દ્રિય એક એક વિષયને ખંડ ખંડ જાણે ( ગ્રહણ કરે) એ પણ ઇન્દ્રિય; અને ઇન્દ્રિયનો (જે) વિષય છે એને પણ ઇન્દ્રિય કહી છે. “નો વિયે નિત્તા”...જે ઇન્દ્રિયોને જીતીને, (અર્થાત્ ) દ્રવ્ય-ભાવ ઇન્દ્રિય અને ઇન્દ્રિયોનો વિષય, (એ) ત્રણેય (ઈન્દ્રિય); એને જીતીને એટલે લક્ષ છોડીને, ત્રણેયનું લક્ષ છોડીને “અધિક જાણે આત્મને.' મૂળ પાઠ આ છે: “નો રૃરિયે નિત્તા OTMEાવાધિમં મુવિ માવું” ઇન્દ્રિય જીતીને “[TM સદાવ' જ્ઞાનસ્વભાવ ભગવાન, ત્રિકાળ ચૈતન્ય બ્રહ્મ પ્રભુ; (એ વડ) “ધિર્મ મુઃિ માટું” અન્ય દ્રવ્યથી અધિક આત્માને જાણે છે. એને જિતેન્દ્રિય કહેવામાં આવે છે! ઇન્દ્રિયોથી વિષય ન લીધા અને શરીરથી બ્રહ્મચર્ય પાળ્યું-એ ઇન્દ્રિયજીત (જિતેન્દ્રિય) નથી! એ બ્રહ્મચર્યને તો અનંતવાર પાળ્યું છે.
એ છ૭ ઢાળા” માં આવે છે ને..! “મુનિવ્રત ધાર અનંત બાર ગ્રીવક ઉપજાયો; પૈ નિજ આતમજ્ઞાન બિના, સુખ લેશ ન પાય.” “મુનિવ્રત ધાર' –નગમુનિ, દિગંબર મુનિ પંચ મહાવ્રત ધરનાર, ૨૮ મૂળ ગુણ પાળનાર, “અનંત બાર ગ્રીવક ઉપજાયો; પૈ નિજ આતમજ્ઞાન બિના, સુખ લેશ ન પાયૌ” –એનો અર્થ શું થયો? કેઃ મહાવ્રત ને ૨૮ મૂળગુણનો ભાવ, એ દુ:ખ છે. વિકલ્પ છે. રાગ છે. દુઃખ છે. આત્મજ્ઞાન વિના સુખ પામ્યો નથી. આહા. હા! ‘મુનિવ્રત ધાર અનંત બાર ગ્રીવક ઉપજાયો.'
અને “લિંગપાહુડ' માં તો એમ કહ્યું છે કે: દ્રવ્યલિંગ ધારણ કરીને કોઈ ક્ષેત્ર બાકી નથી કે જ્યાં એણે અનંત જન્મ-મરણ ન કર્યા હોય. કારણ કે એ કોઈ ચીજ નથી. અંતર સમ્યગ્દર્શન-સ્વદ્રવ્યના અનુભવ-વિના આનંદ આવતો નથી. અને એ દ્રવ્યના અનુભવ વિના. પંચ મહાવ્રતના પરિણામ, મહાવ્રતના વિકલ્પ એ બધું પરદ્રવ્ય છે. પંચ મહાવ્રત આદિ (નો વિકલ્પ ), એ તો દુઃખરૂપ છે! આહા... હા!
અહીં મોક્ષમાર્ગને “હેય' કહ્યો, એ દુ:ખરૂપની વાત નથી. પણ એનો આશ્રય કરવા લાયક નથી માટે (હેય) કહ્યો. (પણ) પુણ્ય-પાપના ભાવ તો દુઃખરૂપ છે! મહાવ્રતના પરિણામ આસ્રવ છે. “તત્ત્વાર્થસૂત્ર” ના છઠ્ઠા અધ્યાયમાં (કહ્યું કે) આસ્રવ છે એ દુઃખ છે!
આહા... હા! આવી વાત છે!! માણસને આકરું લાગે અને પછી ટીકા કરે છે. (આચાર્યની) ટીકા એને ન બેસે એટલે એમ કરે. એમાં કાંઈ (નહીં). પ્રભુ! તું પણ ભગવાન છો ને..! અમને તારા પ્રત્યે કંઈ વેર-વિરોધ નથી. (૮) ભગવાન છો ! “સત્વેષ મૈત્રી” –બધા આત્મા તો સાધર્મી છે. આત્માના સ્વભાવ તરીકે દરેક જીવ સાધર્મી છે. પર્યાયમાં ભૂલ છે, એ તો એક સમયની છે, (ઍને) કાઢી નાખશે, તો એના કોઈના પ્રત્યે વેર-વિરોધ કરવો (રહેશે) નહીં.
અહીં કહે છે કે: મુનિ તો પરથી સહજ પરાઠુખ છે. “પાંચ ઇન્દ્રિયોના ફેલાવ રહિત” –એને પાંચ ઇન્દ્રિયો તરફનું લક્ષ જ નથી. “દેહમાત્ર જેને પરિગ્રહ છે” –મુનિને એક શરીર (છે જે) છૂટતું નથી. એ સિવાય બીજી કોઈ ચીજ હોતી નથી. સાચા સંત-ભાવલિંગી; એને વસ્ત્રનો ટુકડો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com