________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૩૮ - ૫ પણ પરદ્રવ્ય કહી (છે). કારણ કે, આ “શુદ્ધભાવ અધિકાર છે ને...! જ્યારે ત્રિકાળી શુદ્ધતાનો પિંડ જે પ્રભુ એ “સ્વદ્રવ્ય છે તો એ અપેક્ષાએ પર્યાયમાત્રને બાહ્યતત્ત્વ કહીને “પદ્રવ્ય કહ્યું છે!
આહા.. હા! આવું (તત્ત્વ) છે, પ્રભુ! અરે... રે! આમાં કોની સાથે ચર્ચા કરીએ, વાદ કરીએ? આ (તત્ત્વ) લોકો સમજે નહીં અને પછી માને કે (સોનગઢનું) એકાંત છે. કહો, બાપુ ! તમે ભગવાન છો. અંદર તો ભગવાન છો, ભાઈ ! અંદર ભગવાનસ્વરૂપ છો. તારી (જે) ભૂલ છે એ તો પર્યાયમાં છે. અને તે ભૂલ એક સમયની છે. એક સમય (એટલે ) એક સેકંડનો અસંખ્યાતમો ભાગ, એમાં ભૂલ છે. ભગવાન! ત્રિકાળી તો નિભૂલભગવાનસ્વરૂપ છે. –આ શુદ્ધભાવ !
જિજ્ઞાસાઃ ભૂલનો સમય થોડો પણ જોર કેટલું !
સમાધાનઃ જોર એટલે, એક સમય જ રહે છે. સંસારની પર્યાય એક સમય જ રહે છે, બીજે સમયે બીજી. ભલે એવી ને એવી રહે પણ બીજી (છે). અરે! કેવળજ્ઞાન પણ એક સમયે જે ઉત્પન્ન થાય છે તે બીજા સમયે નહીં. એવું (ને એવું) પણ (તેનું) તે નહીં. આહા. હા! એ કારણે પર્યાયને બાહ્યતત્ત્વ કહી દીધું છે. આહા... હા સમજાણું કાંઈ?
સૂક્ષ્મ પડે, પ્રભુ! પણ શું કરે? માર્ગ તો જે હોય તે (કહેવાય છે. સમાજમાં ન આવે અને (અત્યારે) ન ચાલે એટલે માર્ગ કોઈ બીજો થઈ જાય (એમ નથી). આ તો અનંત કેવળીઓ, અનંત તીર્થકરો (દ્વારા પ્રરૂપેલો છે) ! ત્રિકાળને જાણવાવાળાનો વિરહું ત્રણ કાળમાં ક્યારેય હોતો નથી. શું કહ્યું? ત્રિકાળ તો ત્રણે કાળે છે. તો ત્રિકાળ-વસ્તુ' જ્ઞય છે ને..? તો ત્રિકાળને જાણવાવાળાનો વિરહ ત્રિકાળમાં ક્યારેય હોતો નથી. અનાદિથી સર્વજ્ઞ છે. અનાદિથી ત્રિકાળ છે! ત્રિકાળને જાણવાવાળાનો વિરહ ત્રિકાળમાં નથી ! સર્વજ્ઞ પ્રગટ (હોય છે) હોં ! “આ વાણી” એ સર્વજ્ઞ પરમાત્માની છે! ચાહે તો વર્તમાન ભગવાન હોય, ચાહે તો ભૂતકાળના ભગવાન હોય કે ચાહે તો ભવિષ્યના હોય–તે કહ્યું હતું, (કહે છે અને કહેશે તે “વાણી” આ જ છે!).
હમણાં થોડી તકરાર થઈ હતી ને? અહીં આપણે “નમો નો સવ રિહંતા' કહ્યું ને...! એમાં એક (દિગંબર) સાધુએ ભૂલ કાઢી (છે) કે-આ “જુમો નો સેલ્થ રિહંતાળ ' ક્યાંથી કહ્યું? પાઠમાં તો “નમો રિહંતાળ” છે! આજ છાપામાં આવ્યું છે. (પણ) “ધવલ” માં એવો પાઠ છે: “નમો નો સવ ત્રિતિવર્તી અરિહંતાનું.' આપણે છેલ્લે તો બોલીએ છીએ: “અમો નો સવ્વ સાહૂણ' (પણ) ચારમાં (“નો,” અને “Ö') બોલતા નથી. (“નોઈ' અને “સQ') એ (બન્ને) અન્ય દીપક છે (જે) પાંચેય (પદને) લાગુ પડે છે. નમો નો ( –લોક) અને “સવ' (–સર્વ), (તો એમાં) બીજા બધા (એટલે) જૈન સિવાયના અન્ય સાધુ પણ આવી જાય છે-એમ નથી ! અન્યમાં તો કોઈ માર્ગ જ નથી ને! પ્રભુ! શું કહીએ? અન્યમાં (તો) સમ્યગ્દર્શન જ હોતું નથી; (બધા) ગૃહતમિથ્યાદર્શન છે. શું કહે? લોકોને દુ:ખ લાગે, ભાઈ ! શ્વેતાંબરપંથ પણ ગૃહીતમિથ્યાષ્ટિ છે. (મૂળ) જૈનધર્મના હજારો બોલ ફેરવી નાખ્યા છે. “મોક્ષમાર્ગ (પ્રકાશક)” માં (એ) અન્યમતિમાં નાખ્યા છે. (એ લોકોને) દુઃખ લાગે માટે (સત્ય જાહેર ન કરવું, એમ) નહીં. આ તો સત્ય છે, પ્રભુ! તું આત્મા છો. પ્રભુ! તને દુઃખ લાગે ( એમ અમે ઇચ્છતા) નથી. પણ વસ્તુસ્થિતિ આવી છે! “મોક્ષમાર્ગ (પ્રકાશક)” માં પાંચમો અધ્યાય છે ને? – “અન્યમત અધિકાર”. એમાં વેદાંત,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com