________________
ગણિવર્યનું ટુંક જીવન ચરિત્ર
(૯) ૧૯૯૭ ના વૈશાખ માસમાં પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ જેનું શુભ નામ પ્રભુદાસ રાખવામાં આવ્યું. તેઓ સંવત્ ૧૯૬૯ ની સાલ સુધી અમદાવાદમાં રહ્યા, ત્યાંથી સંવત ૧૯૭૦ માં પિતાના ધર્મપત્ની તથા પુત્ર-પુત્રી સાથે વીરમગામ ગયા, અને ત્યાંની એડવર્ડ મીલના મેનેજરને મળતાં તેમની જેબર તરીકે નિમણુંક થઈ. તેમની પુત્રી બેન હીરા સંવત્ ૧૯૭૨ માં જીવલેણ વ્યાધિથી ગુજરી ગઈ. બેન હીરા ઉપર હરજીવનદાસને અથાગ મહ હતા. આવી ગુણયલ અને સુશીલ પુત્રી ગુમાવ્યાથી તેમને સખ્ત આઘાત લાગ્યા, અને સંસારની અસારતાનું ભાન થયું. એ જ અરસામાં આચાર્યજી મહારાજશ્રી વિજય ધર્મસૂરીશ્વરજી મહારાજના સુશિષ્ય મુનિ મહારાજ શ્રી દેવેન્દ્રવિજયજી મહારાજ વિરમગામ પધાર્યા હતા. તેમના સમાગમથી ભાઈ શ્રી હરજીવનદાસનું ધાર્મિક પ્રવૃત્તિ તરફ વિશેષ લક્ષ્ય દેરાયું. મેજશેખ અને અમન-ચમનને બદલે વૈરાગ્યને રંગ લાગ્યું. રાત્રિભોજન અને બાર તિથિ લીલોતરીને ત્યાગ કર્યો. ઊનું પાણી પીવાનું શરૂ કરી દીધું, અને એકાસણું આયંબિલ તથા ઉપવાસ વિગેરે તપશ્ચર્યા યથાશક્તિ કરવા લાગ્યા. વળી દર પૂનમે ભેચણીજીની યાત્રા કરવા જતા.
છે વિરમગામમાં બીજા પુત્ર ભાઈ શ્રી જયંતીલાલને હું જન્મ, ગુરુદેવ મુનિ મહારાજ શ્રી ભક્તિવિજયજી મહારાજના સદુપદેશ અને વ્યાખ્યાનથી વધતો
વૈરાગ્ય; દીક્ષાની ભાવના.
ઉપર જણાવ્યા મુજબ ભાઈ શ્રી હરજીવનદાસ ધાર્મિક પ્રવૃત્તિ સાથે સંસાર-વ્યવહાર ચલાવતા હતા. તેમના ધર્મShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com