Book Title: Panyasji Maharaj Shree Kanchanvijayji Ganivaryanu Tunk Jivan Charitra
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 51
________________ (૪૮) પંન્યાસજી મહારાજ શ્રી કંચનવિજયજી મધુર સંગીત સાથે જુદી જુદી પૂજાએ ભણવાઈ પ્રભાવના કરવામાં આવી, ચિત્તને આહલાદ પમાડે તેવી અંગરચના થઈ, તથા હમેશાં રાત્રે ભાવના ભાવવામાં આવતી હતી. તપસ્યા નિમિત્તે ઠાઠમાઠથી અઠ્ઠાઈ-મહોત્સવ થયે, તથા એક સંગીતમંડલીની સ્થાપના કરવામાં આવી. પર્યુષણ પૂર્ણ થતાં નવકારશી થઈ. પંન્યાસજી મહારાજના સદુપદેશથી જાવાલના પંચે એવો ઠરાવ કર્યો કે, કેઈએ એઠું મૂકવું નહિં, એઠું મૂકનારે સવાપાંચ આના દંડના ભરી દેવા. વળી એક થાળીમાં ભેગા બેસીને જમવું નહિં. પંન્યાસજી મહારાજના સદુપદેશથી જાવાલના શેઠ શંકર હરજી પિરવાડ તરફથી કારતક વદિ પાંચમના રેજ ઉપધાન શરૂ કરાવવામાં આવ્યા, જેમાં શ્રાવકભાઈઓ તથા શ્રાવિકા ઓંનેએ મળી ૩૫૦) માણસોએ પ્રવેશ કર્યો. માળ પ્રસંગે શેઠ શંકર હરજી તરફથી પાંચ છેડનું ઉજમણું કરવામાં આવ્યું. પોષ શુદિમાં શેઠ હકમાજી તેજાજીના નેરામાં નાણ મંડાવવામાં આવી. અને હજારો માણસની મેદની વચ્ચે પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજના શુભહસ્તે ધામધૂમથી તપસ્વીઓને માળ પહેરાવવામાં આવી. એજ દિવસે ઉદાર દિલના શેઠ શંકર હરજીએ નવકારશી કરી, તથા આખા ગામમાં ધૂમાડે બંધ કરાવી અઢારે નાતને મિષ્ટાન્ન ભજન કરાવ્યું. વળી તેમણે ૩૫૦ તપસ્વીઓને રૂપાના વાટકાની પ્રભાવના કરી મળેલી શુભ લક્ષમીને સદ્વ્યય કર્યો. તે સિવાય ભિન્ન ભિન્ન ગૃહસ્થોએ પણ તપસ્વીઓને કિંમતી વસ્તુઓની પ્રભાવના કરી હતી. ઉપધાન તથા ઉજમણુ પ્રસંગે શેઠ શંકર હરજીએ પચ્ચીશહજાર રૂપિયાને સદ્વ્યય કર્યો હતે. જાવાલના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76