________________
ગણિવર્ય નું ટુ'ક જીવન ચરિત્ર
( ૫૯ )
ગામે તથા શહેરામાં વિચરી ભવ્યાત્માઓને પ્રતિબેાધ આપતા પાલીતાણા પધાર્યા. આ અરસામાં સુરતના વતની શ્રીયુત પ્રેમચંદભાઈ પાલીતાણા આવ્યા હતા. સંસારના કેટલાક કડવા અનુભવ થતાં તેમનું દિલ સંસાર ઉપરથી ઉઠી ગયુ હતું. વૈરાગ્યથી રગાયેલા અને દીક્ષા લેવાની ભાવનાવાળા તેમણે દીક્ષા આપવા માટે પન્યાસજી મહારાજને વિનતિ કરી. તેમના હાર્દિક વૈરાગ્ય જોઈ પન્યાસજી મહારાજે અનુમતિ આપી. જેથી મેાતી સુખીયાની ધર્મશાળામાં નાણુ મંડાવી પંન્યાસજી શ્રી કંચનવિજયજી ગણિવયે શ્રીયુત્ પ્રેમચંદભાઇને સંવત ૧૯૯૯ના અશાડ માસમાં ભાગવતી દીક્ષા આપી તેમનુ’ નામ મુનિશ્રી પ્રવીણવજચજી રાખ્યું, અને તેમને પન્યાસજી મહારાજે પેાતાના શિષ્ય કર્યાં. તેઓશ્રીએ સંવત ૧૯૯૯ નું ચતુર્માસ પાલીતાણામાં મેાતી સુખીયાની ધશાળામાં કર્યું.
ચતુર્માસ પૂર્ણ થતાં પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજે પેાતાના શિષ્ય-પરિવાર સાથે પાલીતાણાથી વિહાર કર્યો અને વિચરતા વિચરતા ભાવનગર-મારવાડીને વડે પધાર્યા. વૈશાખ શુદિ ૬ના રાજ મુનિરાજ શ્રી પ્રવિણવિજયજીને વડીદીક્ષા આપવાની હાવાથી નાણુ મંડાવવામાં આવી, એ શુભ દિવસે ચતુર્વિધ સંઘની વિશાળ મેઢની વચ્ચે પન્યાસજી મહારાજે મુનિરાજશ્રી પ્રવિણવિજયજીને વડીદીક્ષા આપી, અને તેમને પન્યાસજી મહારાજે પેાતાના શિષ્ય કર્યાં. વળી આ વખતે બીજા પણ શ્રાવક-શ્રાવિકાઓએ યથાશક્તિ વિવિધ પ્રકારના વ્રત ઉચ્ચર્યા. તેઓશ્રીએ ભાવનગરના સધની આગ્રહભરી વિનંતિથી સંવત ૨૦૦૦ ની સાલનું ચતુર્માસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com