Book Title: Panyasji Maharaj Shree Kanchanvijayji Ganivaryanu Tunk Jivan Charitra
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 47
________________ પંન્યાસજી મહારાજ શ્રી કંચનવિજયજી સાહેબમાં ઉતર્યો. પંન્યાસજી શ્રી કંચનવિજયજી ગણિવયે સંવત ૧૯૫ ના મહા વદિ ૮ ના રોજ દાદા સાહેબની વાડીમાં ચતુર્વિધ સંઘની વિશાળ હાજરી વચ્ચે ભાઈ શ્રી ભાયચંદ જેરામ નાવડીયાને ભાગવતી દીક્ષા આપી, તેમનું નામ મુનિ શ્રી ભરતવિજયજી રાખ્યું, અને તેમને પિતાના શિષ્ય કર્યા. આ શુભ પ્રસંગે મુનિરાજ શ્રી ભરતવિજયજીનાં સંસારી પુત્ર ભાવસાર રતિલાલ ભાયચંદ નાવડીયા તરફથી વડવાના દેરાસરે આંગી રચાવવામાં આવી, ઠાઠમાઠથી પૂજા ભણાવવામાં આવી, તથા વડવામાં સાધમિક વાત્સલ્ય કર્યું. પંન્યાસજી મહારાજે ભાવનગરમાં ફાગણ માસમાં મુનિરાજ શ્રી ભરતવિજયજીને વડી દીક્ષા આપી. વળી તેઓશ્રીએ ભાવનગરમાં ચૈત્રી એળી કરી, તથા ચૈત્રી પૂનમના દેવ વંદાવ્યા. - ત્યારબાદ પંન્યાસજી શ્રી કંચનવિજયજી ગણીશ્વરે પિતાના શિષ્ય-પરિવાર સાથે ભાવનગરથી વિહાર કર્યો, અને વિચારતા વિચરતા પાલીતાણા પધાર્યા. તેઓશ્રીએ સંવત ૧૫ નું ચતુર્માસ પાલીતાણુમાં મતી-સુખીયાની ધર્મશાળામાં કર્યું. પંન્યાસજી હારાજની વૈરાગ્ય ઝરતી દેશના સાંભળી ઘણું શ્રાવક-શ્રાકાઓએ માસખમણ, ૧૬ ઉપવાસ વિગેરે વિવિધ તપસ્યા કરી. તે નિમિત્તે ઠાઠમાઠથી અઠ્ઠા મહોત્સવ થયે, તથા અષ્ટોત્તરી સ્નાત્ર વિધિપૂર્વક ભણાવવામાં આવ્યું. L. કંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજના સદુપદેશથી આસે શુદિ ૧૦ ના રોજ અમરેલીવાળા શેઠ બાબુલાલ ઉત્ત: મચંદ તરફથી ઉપધાન શરૂ કરવામાં આવ્યા, જેમાં બેઠેલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76