Book Title: Panyasji Maharaj Shree Kanchanvijayji Ganivaryanu Tunk Jivan Charitra
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 45
________________ (૪૨) પંન્યાસજી મહારાજ શ્રી કંચનવિજ્યજી ઠીક પ્રમાણમાં થયાં. પર્યુષણમાં તેઓશ્રીના શિષ્ય-રત્ન મુનિરાજશ્રી મહેદયવિજયજીએ ૧૬ ઉપવાસની તપશ્ચર્યા કરી હતી. ચતુર્માસ બાદ લીંચના સંઘના અગ્રેસર લીંચમાં ઉપધાનની માળ પહેરાવવા માટે પધારવાની વિનતિ કરવા અમદાવાદ આવ્યા. તેમની વિનતિ સ્વીકારી પંન્યાસજી મહારાજ પિતાના શિષ્ય-પરિવાર સાથે અમદાવાદથી વિહાર કરી પાનસર અને સેરીસા તીર્થની યાત્રા કરી લીંચ પધાર્યા, અને ત્યાં તેઓશ્રીએ પિતાને શુભ હસ્તે ઉપધાન કરનાર તપસ્વીઓને ધામધૂમથી માળ પહેરાવી. લીંચમાં થોડા દિવસ સ્થિરતા કર્યા બાદ ત્યાંથી વિહાર કર્યો, અને વડાવલી થઈ ગામ ચવેલી પધાર્યા. ચવેલીના શ્રીસંઘે પરમાત્માની પ્રતિમાજીની પ્રતિષ્ઠા આચાર્યદેવેશ શ્રી વિજયભકિતસૂરીશ્વરજી મહારાજ પાસે કરાવવાને નિર્ણય કર્યો હતો, જેથી શ્રી સંઘની આગ્રહભરી વિનતિથી આચાર્યજી મહારાજ પોતાના બહોળા શિષ્ય-પરિવાર માથે વિચરતા વિચરતા ગામ ચવેલી પધાર્યા. અહીં ગુરુદેવનાં દર્શન-વંદન કરી પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજ પરમ આહલાદ પામ્યા. પ્રતિષ્ઠાના માંગલિક પ્રસંગે ચવેલીમાં ઠાઠમાઠથી અઠ્ઠાઈ–મહોત્સવ શરૂ થયે, અને વૈશાખ વદિ ૬ ના દિવસે સવારે શુભ મુહૂર્ત આચાર્યદેવેશ શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજના શુભ હસ્તે દેવાધિદેવ શ્રી વિમલનાથ સ્વામીના ભવ્ય પ્રતિમાજીને તખ્તનશીન કરવામાં આવ્યા. પ્રતિષ્ઠાનું કાર્ય પૂર્ણ થતાં પંન્યાસજી શ્રી કંચનવિજયજીએ ગુરુદેવ વિગેરે મુનિવર્યો સાથે ચવેલીથી વિહાર કર્યો. અને લણવા, કંથરાવી, ધીણેજ, ચાણસ્મા થઈ રૂપર તીર્થની યાત્રા કરી પાટણ પધાર્યા. તેઓશ્રીએ સંવત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76