Book Title: Panchvastuk Prakaran Part 05
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 242
________________ ૨૨૫ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૦૮૦ * પ્રસ્તુત ગાથાના અંતે રહેલ ત’ પછી ‘છે નિમિત્તે સો વદ નુ પટ્ટિના?' એટલું પૂર્વગાથામાંથી અનુવર્તના પામે છે. » ‘ત્તિ' પાદપૂર્તિ માટે છે. ગાથાર્થ : અને એકાંતે અનિત્ય પણ જીવ ઉત્પન્ન થયા પછી ઉત્તર ક્ષણમાં જીવનો અભાવ હોવાથી, ઉત્તર ક્ષણના દુઃખરૂપ કાર્યનો પરિણામી કારણ એવો ઉત્પત્તિક્ષણનો જીવદ્રવ્ય નહીં હોવાને કારણે, અને ઉત્પત્તિક્ષણથી પછીની ક્ષણમાં જીવનું અસ્તિત્વ નહીં હોવાથી, ઉત્પત્તિક્ષણથી પછીની ક્ષણમાં જીવને દુઃખનો અસંભવ હોવાને કારણે એકાંતે અનિત્ય એવા દુખના ઉચ્છેદ માટે કેવી રીતે પ્રવર્તે? અર્થાત્ ન જ પ્રવર્તે. ટીકા : एकान्तेनाऽनित्योऽपि च निरन्वयनश्वरः सम्भवसमनन्तरम् उत्पत्त्यनन्तरम् अभावाद्-अविद्यमानत्वात् पारिणामिकहेतुविरहात्-तथाभाविकारणाभावेन असम्भवाच्च कारणात् तस्येत्येकान्तानित्यस्य स कथं प्रवर्तेत ? नैवेति गाथार्थः ॥१०८७॥ ટીકાર્ય : - જોન ચ નિત્ય =નિરવયનશ્વર: પિ અને એકાંતથી અનિત્ય=નિરન્વય-નશ્વર, પણ સભવ... વિદ્યમાનવી સંભવસમનંતર–ઉત્પત્તિઅનંતર જીવ ઉત્પન્ન થયા પછી, અભાવ હોવાથી=અવિદ્યમાનપણું હોવાથીઉત્તર ક્ષણમાં જીવનું અવિદ્યમાનપણું હોવાથી, પારિyrifમવા... UTTમાવેન પારિણામિક હેતુનો વિરહ હોવાને કારણે=તથાભાવિકારણનો અભાવ હોવાને કારણે દુઃખરૂપે પરિણમન પામનારા કારણ એવા જીવદ્રવ્યનો અભાવ હોવાને કારણે, સમવત્ ૨ વરVIK અને અસંભવરૂપ કારણથી–ઉત્પત્તિક્ષણથી પછીની ક્ષણમાં જીવનો અભાવ હોવાથી ઉત્પત્તિક્ષણથી પછીની ક્ષણમાં જીવને દુઃખનો અસંભવ હોવારૂપ કારણથી, તયે....થાર્થ તેના એકાંતથી અનિત્ય એવા દુઃખના, ઉચ્છેદ માટે તે=અનિત્ય જીવ, કેવી રીતે પ્રવર્તે ? ન જ પ્રવર્તે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : આત્માને નિત્ય-અનિત્યાદિ અનેક ધર્મવાળો માનવામાં ન આવે, પરંતુ એકાંતે અનિત્ય માનવામાં આવે અર્થાત આત્મદ્રવ્ય અન્વયી ન હોય પણ આત્માનો નિરન્વય નાશ થતો હોય, તો આત્મા ઉત્પન્ન થયા પછી બીજી ક્ષણમાં અવિદ્યમાન થાય, અને તેમ સ્વીકારીએ તો ઉત્પત્તિક્ષણનો આત્મા ઉત્તર ક્ષણમાં દુઃખઉત્પત્તિનો પારિણામિક હેતુ બને નહીં, કેમ કે દ્રવ્ય અન્વયી હોય તો ઉત્પત્તિક્ષણમાં વિદ્યમાન આત્મા ઉત્તર ક્ષણમાં થનારા દુઃખ પ્રત્યે પરિણામિક હેતુ બને, પરંતુ જે આત્માનું ઉત્પત્તિક્ષણ પછી અસ્તિત્વ જ નથી, તે આત્મા ઉત્તર ક્ષણમાં થનારા દુઃખ પ્રત્યે પારિણામિક હેતુ બની શકે નહીં. વળી, આત્માને એકાંતે અનિત્ય માનીએ તો ઉત્પત્તિક્ષણમાં આત્મામાં વિદ્યમાન એવા દુઃખનો ઉત્તર ક્ષણમાં અસંભવ છે; કેમ કે ઉત્પત્તિની પછીની ક્ષણમાં આત્માનું અસ્તિત્વ જ નહીં હોવાથી બીજી ક્ષણમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286