Book Title: Panchvastuk Prakaran Part 05
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 270
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૧૦૩ ૨૫૩ અવતરણિકા : अभ्युपचयमाह - અવતરણિતાર્થ : અભ્યપચયને કહે છે, અર્થાત્ પૂર્વગાથાના ઉત્તરાર્ધમાં કહેલ કે જીવ અને શરીરના એકાંત ભેદાદિમાં ઘટાદિના ભંગાદિના દૃષ્ટાંતથી પુણ્ય અને પાપ ઘટે નહીં, ત્યાં “પામેલાવી”માં “માવિ' પદથી એકાંત અભેદનું ગ્રહણ છે, તેથી પ્રશ્ન થાય કે જીવ અને શરીરનો એકાંત અભેદ સ્વીકારવામાં પુણ્ય અને પાપ કઈ રીતે ઘટે નહીં? તે બતાવવા માટે સમુચ્ચયને કહે છે – ગાથા : तयभेअम्मि अ निअमा तन्नासे तस्स पावई नासो । इअ परलोआभावा बंधाईणं अभावो उ ॥११०३॥ અન્વયાર્થ: તમેમિ સંઅને તેનો અભેદ હોતે છતે=જીવ અને શરીરનો એકાંતે અભેદ હોતે છતે, તન્ના તેના નાશમાં–દેહના નાશમાં, તસ નાણો તેનો નાશ જીવનો નાશ, નિગમ-નિયમથી પાવ-પ્રાપ્ત થાય. રૂમ આ રીતે દેહના નાશમાં જીવનો નાશ પ્રાપ્ત થાય એ રીતે, પત્નોમાવા-પરલોકનો અભાવ થવાથી વંથાઇi=બંધાદિનો માવો ૩ અભાવ જ થાય. * ગાથાના અંતે રહેલ ‘૩' ઈશ્વ કાર અર્થમાં છે. ગાથાર્થ : અને એકાંતે જીવ અને શરીરનો અભેદ હોતે છતે દેહના નાશમાં જીવનો નાશ નિયમથી પ્રાપ્ત થાય. આ રીતે પરલોકનો અભાવ થવાથી બંધાદિનો અભાવ જ થાય. ટીકા : तदभेदे च-जीवशरीराभेदे च नियमात् तन्नाशे-देहनाशे तस्य-जीवस्य प्राप्नोति नाशः, इय-एवं परलोकाभावात् कारणात् बन्धादीनामपि प्रस्तुतानामभाव एवेति गाथार्थः ॥११०३॥ ટીકાર્ય : અને તેનો અભેદ હોતે છતે જીવ અને શરીરનો અભેદ હોતે છતે, તેના નાશમાં–દેહના નાશમાં, તેનો જીવનો, નાશ નિયમથી પ્રાપ્ત થાય, આ રીતે પરલોકના અભાવરૂપ કારણથી પ્રસ્તુત એવા બંધાદિનો પણ અભાવ જ થાય, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વગાથાના ઉત્તરાર્ધમાં ગ્રંથકારે કહ્યું કે જીવ અને શરીરનો એકાંતભેદ સ્વીકારીએ તો ઘટાદિની જેમ દેહ પણ પુદ્ગલાત્મક હોવાથી, જેમ ઘટાદિના ભંગમાં કે ઉપકારમાં પાપ કે પુણ્ય થતું નથી, તેમ દેહના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286