Book Title: Mul Jain Dharm ane Hal na Sampradayo
Author(s): Nagindas Girdharlal Sheth
Publisher: Jain Siddhant Sabha Mumbai

View full book text
Previous | Next

Page 10
________________ [૯] પૂર્વાચાર્યો ભગવાનના વચનના ખોટા અર્થ કરે તે પણ સંપ્રદાયવાદી વગર વિચાર્યું સંપૂર્ણ સત્ય તરીકે સ્વીકારી લીએ છે. ગુરુએ જે કંઈ શબ્દ, વાક્ય કે સૂત્રનો અર્થ જે રીતે કહ્યા, બતાવ્યા કે સમજાવ્યા હોય તે અર્થને સંપ્રદાયવાદી તે રીતે જ સમજે કે માને છે અને તેના જ બીજા અર્થ થતા હેય તેને ગૌણ કરી દીએ અથવા માને નહિ. સંપ્રદાયવાદી સત્યાસત્યના વિવેક વિના અથવા અર્થની સત્યતાની ચકા સર્ણ કર્યા વિના ગુરુએ જે વસ્તુ જે રીતે સમજાવી હોય તે રીતે જ તેને સંપૂર્ણ સત્ય તરીકે માને છે. સંપ્રદાયવાદી ગુરુએ શિખડાવેલી રીતે જ વિચાર કરવાને ટેવાઈ જવાથી તે બીજી કોઈ રીતે વિચાર કરી શકતું નથી. એટલે સંપ્રદાયવાદી સત્યને કદી સત્ય તરીકે સમજી, માની કે ઓળખી શકતો નથી. સંપ્રદાયવાદી ગુરુએ શિખડાવ્યું હોય તેટલું જ અને તે રીતે જ વિચાર કરી શકે છે. પરંતુ સ્વતંત્ર રીતે સત્યાસત્યને વિવેક કરી શકતો નથી. સંપ્રદાયવાદી ભગવાનની સર્વજ્ઞતાને બાધ આવે તેવું પૂર્વાચાર્યનું વચન પણ સત્ય તરીકે સ્વીકારી લીએ છે. સત્યાસત્યના મિશ્રણવાળી માન્યતા મિથ્યાત્વ ગણાય એમ સંપ્રદાયવાદી માનતે કે સમજતો નથી. ઉપરના નિયમે ધ્યાનમાં રાખીને વાંચકો મૂળ સત્ય જૈન ધર્મ સમજવાનો અને તે પ્રમાણે અનુસરવાને પ્રયત્ન કરશે તો હું મારે શ્રમ સફળ થયેલે માનીશ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 534