Book Title: Muhpatti Charchasara
Author(s): Kalyanvijay
Publisher: Vijaynitisuri Jain Library

View full book text
Previous | Next

Page 60
________________ - ૫૪ & આગમ, નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા, અવચૂરી આદિ શાસ્ત્ર પ્રાકૃત, સંસ્કૃત, બાલાવબોધ આદિ ઘણી ભાષાઓમાં છે, તે ચર્ચાને અંગે આપે કઈ કઈ ભાષાનાં શાસ્ત્ર પ્રમાણમાં લેવા માંગો છો? વળી ઘણું ગચ્છનાં અનેક આચાર્યોના રચેલાં શાસ્ત્રો વિલ. માન છે તો આપ દરેકનાં રચેલાં શાસ્ત્રને પ્રમાણભૂત માની ચર્ચામાં સમ્મત ગણે છે કે નહી ? તેનું સ્પષ્ટીકરણ કરવાની આવશ્યકતા છે. વળી શાસ્ત્રનાં રચનાકાળને અંગે કઈ સદી સુધીનાં રચાયેલાં શાસ્ત્રને પણ માન્ય ગણે છે? તેનો ખુલાસે કરશે. ચૂર્ણિ, ટીકા આદિના પાઠોનો અમલ થતો જોવામાં આવતા નથી, તો તે નહી માનવાને લીધે કે પ્રમાદવશ તે જણાવશે. વળી “બાંધનાર તથા નહી બાંધનાર એ બેમાંથી આરાધક કેણ?” આ પ્રશ્નને પણ ખુલાસો કરશે. કાજાને અંગે આપ ગરદને બાંધવાનું જણાવે છે તેના વિરોધી અમે પણ નથી, પરંતુ ઉપધી–સ્થાપના વિગેરેની પડિલેહણામાં તો મુહપતિને કાનમાં ભરાવીને પડિલેહણું કરવાનું ચોકખું જણાવેલ છે. એટલે જેઓને ન લીધેલ હોય તેઓને વીંધવાને ભાવાર્થ સહેજે આવી જાય છે. આપે કાજાની વાત દર્શાવી પણ તેની સાથે જાણવા છતાં આ વાતને કેમ નથી લખતા ? પડિલેહણની વિધિ તે દીક્ષાની શરૂઆતથી જ થાય છે. આપે આવશ્યક બાલાવબેધનાં પાઠનું નામ સૂચવ્યું છે તે ઉપરથી માની શકાય છે કે-ભાષાનાં શાસ્ત્ર અને બાલાવબોધ શાસ્ત્ર વાદ વખતે સમ્મત છે, એમ અમે સમજીએ છીએ. વળી ઘણી વખત કહેવામાં આવે છે કે બાંધનારની મુહપત્તિ ભીની થાય છે, તો તે વિષે લખવાનું કે હાથમાં રાખીને વાંચનારની મુહપત્તિ મોઢા પર નહી રખાતી હોય તેમજ મુખ પર મુહપત્તિના અભાવે જ્ઞાનની આશાતના તથા જીવવિરાધના તેઓ ટાળી શકતા નહી હોય તેમ આપના લખાણ પરથી જ જણાય છે; કેમકે બાંધ નારની તે નાક પર રહેતી હોવાથી મુખથી કંઈક અંશે દૂર પણ રહે છે, જ્યારે હાથમાં રાખનાર જે બરાબર ઉપગપૂર્વક વર્તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106