________________
ખેડૂત પાસેથી જમીન ખરીદી લીધી. હેન્રી થૉરોએ જમીનનો દસ્તાવેજ કર્યો. પેલા ખેડૂતે આનંદભેર ઘેર જઈને પત્નીની આગળ ડૉલરનો ઢગલો કર્યો. કહ્યું કે ખેતર વેચીને આવેલી આ રકમ છે. એનાથી આપણી આર્થિક ભીંસ જરૂર દૂર થશે. એની વ્યવહારુ પત્નીએ કહ્યું, “તમે ખેતર વેચ્યું નથી, જિદગીભરનો રોટલો વેચ્યો છે. હવે ગુજરાન કઈ રીતે ચલાવીશું. આટલા ઓછા ભાવે ખેતર વેચાય ખરું ? તમે સાવ ભોળા છો એટલે તમને આ બધા છેતરી ગયા. આ રકમ પાછી આપી આવો અને આપણું ખેતર પાછું લઈ આવો.”
ગરીબ ખેડૂત હેન્રી થૉરો પાસે પહોંચ્યો. એણે સઘળી વાત કરી અને કહ્યું, “સાહેબ, મારી મોટી ભૂલ થઈ ગઈ છે. તમારી રકમ તો પાછી આપું છું અને જરૂર લાગે તો દંડ રૂપે દસ ડૉલર આપવા પણ તૈયાર છું. મને માફ કરો. મારી જમીન પાછી આપો.”
હેન્રી થૉરો વિચારમાં પડ્યો. આ ખેડૂતે તો એની આંખ ઉઘાડી નાખી. એ વિચારવા લાગ્યો કે હું સાત્ત્વિકતા અને માનવતા પર નિબંધ લખું છું. જીવનમાં એ વૃત્તિ-વલણો કેળવવાના કીમિયા બતાવું છું, પણ મારા અંતરમાં તો હજી બીજાને છેતરીને સુખી અને રાજી થવાની આવી હીન વૃત્તિ સળવળાટ કરે છે. સમાજને વિચારો આપું છું, પણ આચારમાં સાવ મીંડું . મારા વિચારો અને તત્ત્વજ્ઞાનનો અર્થ શું ? ખેડૂતને સાંત્વના આપતાં હેન્રી થોરોએ કહ્યું, “ભાઈ, દંડને પાત્ર તું નથી, હું છું. તારી જમીન તને પાછી આપું છું. તું મને માફ કર.”
આમ કહીને હેન્રી થૉરોએ ખેડૂત સમક્ષ જમીનના દસ્તાવેજના ટુકડેટુકડા કરી નાખ્યા.
પ્રસિદ્ધ રશિયન નવલકથાકાર,
નાટકકાર અને ચિંતક લિયો નિકોલાયવિચ સારાં કામ બૅસૅયે જીવનની અડધી સદી પૂરી કરી
હોવા છતાં સતત જેની શોધ કરતા હતા કરીએ.
તે જીવનનું લક્ષ્ય મળતું ન હતું. એમના
જીવનમાં ભૌતિક દૃષ્ટિએ બધું જ હતું, કિંતુ ભીતરમાં સાવ ખાલીપો હતો. એમનું શરીર સ્વસ્થ અને મજબૂત હતું. આર્થિક રીતે સધ્ધર હતા, સંતાનસુખ પણ હતું. અને સમગ્ર યુરોપમાં સર્ચ ક તરીકે એમની કીર્તિ છવાયેલી હતી. આ બધું હોવા છતાં જીવનલક્યના અભાવે ચિંતનશીલ લિયો ટૉસ્ચયને એમ લાગતું કે પોતે દિશાશૂન્ય જીવન ગાળે છે. જાણે પગ નીચેથી ધરતી સરકી ગઈ હોય અને પોતે અધ્ધર લટકતા હોય તેવું અનુભવતા !
લિયો ગૅસૅયે તટસ્થ દૃષ્ટિએ જીવનનો મર્મ શોધવાનો પ્રયાસ કર્યો. આને માટે ખ્રિસ્તી, હિન્દુ, મુસ્લિમ, બૌદ્ધ ધર્મશાસ્ત્રોનું વાચન કર્યું. આમાંથી એક નવીન પ્રકાશની ઝાંખી થઈ. સત્યના એ પ્રકાશને પોતાના જીવનમાં સાર્થક બનાવવા કોશિશ કરવા લાગ્યા. અપાર સમૃદ્ધિમાં આળોટનાર જાગીરદાર લિયો ટૅક્સંયે જરૂરિયાતો ઘટાડીને સ્વાવલંબી જીવન સ્વીકાર્યું. વૃત્તિઓ અને વાસના પર નિયંત્રણ રાખ્યું. ધૂમ્રપાન અને માંસાહાર ત્યજ્યાં.
મનની મિરાત
જન્મ : ૧૨ જુલાઈ, ૧૮૧૭, કોન્ક, કૅસેચુસેટ્સ, અમેરિકા અવસાન ઃ ૬ મે ૧૮૬૨, કોન્ક, કૅસેચુસેટ્સ, અમેરિકા
૩૦ મનની મિરાત
૩૧