Book Title: Manni Mirat
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 49
________________ શક્તિશાળી છે ?” ચૅખોવે કહ્યું, “એ જ સહુથી શક્તિશાળી છે, જે પુરુષાર્થી અને શિક્ષિત છે.” ત્રણે મહિલાઓએ એકસાથે કહ્યું, “ગ્રીસ અને તુર્કસ્તાનમાંથી તમને કોણ વધુ પસંદ છે ?” ઍન્ટન ચેખોવે હસતાં હસતાં કહ્યું, “મને તો અમુક પ્રકારનો ખી વધુ ભાવે છે. તમને કઈ ચટણી વધુ પસંદ છે ?” અને આખીય ચર્ચા યુદ્ધના બદલે ખીરા પર આવીને અટકી ગઈ. એ પછીના વાર્તાલાપમાં એ મહિલાઓએ ઘણી હળવાશનો અનુભવ કર્યો. એ સ્ત્રીઓ ગઈ ત્યારે એન્ટન ચેખોવે મનોમન કહ્યું, “માણસે પોતાની ભાષા બોલવી જોઈએ.” પ્રસિદ્ધ નિબંધકાર વિલિયમ હંઝલિટને જીવનમાં પારાવાર મુશ્કેલીઓ શ્રદ્ધા અને આવી. ગરીબી અને હતાશાના બોજ હેઠળ જીવવું પડ્યું. ઉત્તમ સર્જનકાર્ય આશા . કરનાર આ લેખકને માથે દેવું એટલું બધું વધી ગયું કે એને કારાવાસ ભોગવવો પડ્યો. સારા વોકર નામની યુવતીને એ ચાહતો હતો. એની સાથે લગ્ન કરવા માટે વિલિયમ હંઝલિટે પોતાની પ્રથમ પત્નીને છૂટાછેડા આપ્યા, પરંતુ એ પછી એને ખ્યાલ આવ્યો કે સારા વોકર તો એની સાથે પ્રેમનું નાટક કરતી હતી, પરણવા ચાહતી નહોતી. વિલિયમ હંઝલિટે છવ્વીસ વર્ષની વયે સાહિત્યસર્જનનો પ્રારંભ કર્યો. બાવન વર્ષની વયે એ અવસાન પામ્યો. ૨૫ વર્ષના સર્જનકાળમાં એણે ઘણું મહત્ત્વનું સાહિત્યિક પ્રદાન કર્યું, કિંતુ એને યોગ્ય પ્રતિષ્ઠા સાંપડી નહીં. જ્હોન કિટ્સની કવિતાની વિવેચકો અવગણના અને આકરી ટીકા કરતા હતા, ત્યારે હંઝલિટે એની પ્રતિભા પારખીને એની કવિતાને યોગ્ય સ્થાન આપ્યું. પોતાને યોગ્ય સાહિત્યિક સન્માન મળતું ન હતું. તેમ છતાં એણે બીજાને ઉચિત સન્માન આપવામાં કદી પાછી પાની કરી નહીં. જીવનમાં અને સાહિત્યક્ષેત્રે જૂન્મ : ૨૯ જાન્યુઆરી ૧૮૯૦, તાગવોગ, રશિયા અવસાન : ૧૫ જુલાઈ ૧૯૦૪, બાડેનવલર, જર્મની ૯૪ મનની મિરાત મનની મિરાત ૯૫

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82