________________
પસાર કર્યું અને પછી ઍરિસ્ટોટલે.
નાળું પસાર કરીને સામી બાજુએ પહોંચ્યા પછી ફરી બંને વચ્ચે ચર્ચા જાગી. મહાન ચિંતક ઍરિસ્ટોટલે કહ્યું, “સિકંદર, હું તારો ગુરુ છું. મારે આગળ રહેવું જોઈએ, તેં આવી હઠ શા માટે પકડી ? મારી આબરૂ કેમ ઓછી કરી ?”
સિકંદરે નમ્રતાથી ગુરુને કહ્યું, “ગુરુદેવ, આવું બોલશો નહીં, આપની બેઇજ્જતી હું કરું ખરો ? કિંતુ નાળામાં પહેલાં ઊતરવું એ મારું પરમ કર્તવ્ય હતું.”
ઍરિસ્ટોટલે શિષ્યની વાત અધવચ્ચેથી અટકાવીને પૂછવું, “શા માટે ? એવું શું હતું?”
સમ્રાટ સિકંદરે ઉત્તર આપ્યો, “ગુરુદેવ, ઍરિસ્ટોટલ હશે તો હજારો સિકંદર પેદા થશે, પણ સિકંદર બિચારો એકેય ઍરિસ્કેટલ સર્જી શકશે નહીં.”
પ્રજાપ્રેમી રાજા ફ્રેડરિકના પ્રશિયા
પર દુશ્મનોએ પ્રચંડ આક્રમણ કર્યું. તાંબાના દુશ્મનોનો હેતુ પ્રશિયાને પરાજય આપીને
પોતાનું સામ્રાજ્ય સ્થાપવાનો હતો. રાજા ચંદ્રકો
ફ્રેડરિ કે આ આક્રમણનો દૃઢ મુકાબલો
કરવા માટે સઘળી તૈયારી કરી રાખી. યુદ્ધને માટે શસ્ત્રો જોઈએ, સાધન-સરંજામ જોઈએ અને તેથી મોટું નાણાંભંડોળ જોઈએ. વળી સેનામાં જે નવા સૈનિકો સામેલ કર્યા હોય એમને પગાર આપવો પડે અને મોરચે લડવા જનારાઓને સઘળી સુવિધા પૂરી પાડવી જોઈએ. આ પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવા માટે રાજા ફ્રેડરિકે વિચાર્યું કે પ્રજા પાસેથી સોનું મળે તો રાજની ઘણી આર્થિક મુશ્કેલીઓ ટળી જાય.
ઉદારહૃદયી રાજા ફ્રેડરિકે ઢંઢેરો પીટાવ્યો કે, “દુશ્મનોનો સામનો કરવા માટે રાજને સુવર્ણની જરૂર છે. તમે જે સુવર્ણ આપશો, તેના બદલામાં રાજાના હસ્તાક્ષર કોતરાવેલા તામ્રપત્રનો ચંદ્રક પહોંચ રૂપે આપવામાં આવશે.”
પ્રશિયાની પ્રજાએ રાજા ફ્રેડરિકને સુવર્ણ આપ્યું અને એમણે આપેલા તામ્રપત્રના બિલ્લાઓ લીધા. બન્યું એવું કે પ્રશિયાની સ્ત્રીઓ આ તામ્રચંદ્રકો પહેરીને
મનની મિરાત ૯૯
જન્મ ૨૦ જુલાઈ, ઈ. પૂ. રૂપક, પેલ્લા, રીસ અવસાન ઃ ૧૧ જૂન, ઈ. પૂ. ૩ર૩, બેબીલોન
૯૮
મનની મિરાત