________________
શિસ્ત પ્રમાણે મોતની સજા ફરમાવવામાં આવતી. આવે સમયે પ્રમુખ લિંકન એ જુવાનોને માફી બક્ષતા હતા.
એક વાર તો લશ્કરના અધિકારીએ પ્રમુખ અબ્રાહમ લિંકનને સાવધ કર્યા કે આવું કરશો તો લશ્કરમાં શિસ્તપાલન મુશ્કેલ બનશે.
ત્યારે લિકને એમને પોતાના હૃદયની વાત કરતાં કહ્યું, “જુઓ, આ આંતરયુદ્ધમાં રાત-દિવસ મહેનત કરવાને લીધે ક્યારેક હું થાકી જાઉં છું, પરંતુ જો કોઈને થયેલી મોતની સજા સામે મને માફી બક્ષવાની તક મળે તો મારો સઘળો થાક પળવારમાં ઊતરી જાય છે. આ માટે કોઈના પત્ર પર હું એક હસ્તાક્ષર કરું છું ત્યારે કલ્પના કરું છું કે મારા આ હસ્તાક્ષરથી એના કુટુંબમાં કેટલી બધી આનંદની લાગણી ફેલાતી હશે અને તેથી જ રાત્રે જ્યારે સૂવા જાઉં છું, ત્યારે મને મારો દિવસ ધન્ય લાગે છે.”
અમેરિકન વિજ્ઞાની, લેખક,
સંશોધક, મુદ્રક અને પ્રકાશક બેન્જામિન નિષ્ફળ ફ્રેન્કલિને અનેક ક્ષેત્રોમાં મહત્ત્વનું પ્રદાન ઉપાય
એમણે હવાઈ યુદ્ધ વિશે આગાહી
કરી હતી તેમજ એમના પુસ્તક ‘એકસપેરિમેન્ટ્સ ઍન્ડ ઑક્ઝર્વેશન્સ ઑન ઇલેક્ટ્રિસિટી, મંઇડ અંટ ફિલાડેલ્ફિયા ઇન અમેરિકા' (૧૭પ૧)એ નવા વિજ્ઞાનનો પાયો નાખ્યો.
આવા બેન્જામિન ફ્રેન્કલિન પેરિસમાં યોજાયેલી એક સાહિત્ય સભામાં ગયા. આ અમેરિકન નાગરિકને ફ્રેંચ ભાષાનું પૂર્ણ જ્ઞાન નહોતું, આમ છતાં, પોતે સાવ અજ્ઞાની સિદ્ધ ન થાય તે માટે એમણે એક ઉપાય શોધી કાઢ્યો.
એમણે વિચાર્યું કે એમની સામે બિરાજમાન ફ્રેંચ નારી જ્યારે ખુશ થઈને તાળીઓ પાડે, ત્યારે એમણે પણ નિઃસંકોચ રીતે તાળીઓ પાડીને પોતાનો આનંદ પ્રગટ કરવો.
આનાથી સભાજનોને લાગશે કે બેન્જામિન ફ્રેન્કલિન વક્તવ્યને બરાબર સમજી રહ્યા છે.
જન્મ : ૧૨ ફેબ્રુઆરી, ૧૮૦૯, કાર્ડન કાઉન્ટી, કેન્ડી, અમેરિકા અવસાન : ૧૫ એપ્રિલ, ૧૮૫, વોશિંગ્ટન ડી.સી., અમેરિકા
૧૨૮ મનની મિરાત
મનની મિરાતે ૧૨૯