Book Title: Manni Mirat
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 67
________________ એ સભામાં એક ફ્રેંચ લેખકે પોતાના પુસ્તકના કેટલાક અંશ વાંચીને સંભળાવ્યા. ફ્રેન્કલિનની સામે બેઠેલાં ફ્રેંચ બાનુએ એમનું પઠન સમાપ્ત થતાં જ જોરજોરથી તાળીઓ પાડી. ફ્રેન્કલિન પણ પાછા કેમ પડે ? જાણે એ સ્ત્રી સાથે તાળી-સ્પર્ધા કરતા હોય તેમ એમણે બમણા વેગથી ખુરશી પરથી કૂદી-કૂદીને તાળીઓ પાડીને પોતાનો અતિ હર્ષ પ્રગટ કર્યો. સભા સમાપ્ત થતાં ફ્રેંચ બાનુ પાસે જઈને ફ્રેન્કલિને પૂછ્યું, “તમે શા માટે એ સમયે જોર જોરથી તાળીઓ પાડી હતી.” સ્ત્રીએ કહ્યું, “ફ્રેંચ લેખકે અંતે જે પેરેગ્રાફ વાંચીને સંભળાવ્યો, તે તમારી પ્રશંસા માટે લખવામાં આવ્યો હતો.” ૧૩૦ : ૧૭ જાન્યુઆરી, ૧૭૦૬, બૉસ્ટન, અમેરિકા અવસાનઃ૧૭, એપ્રિલ, ૧૭૯૦, ફિલાડેલ્ફિયા, પેન્સિલ્વેનિયા, અમેરિકા જન્મ મનની મિરાત આલ્બર્ટ આઇન્સ્ટાઇન જર્મનીના મ્યુનિક શહેરની જિમ્નેશિયમ નામની જૂની ઘરેડવાળી માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા હતા. આ શાળામાં જર્મન પદ્ધતિના મગજ તમારું છે શિસ્તપાલનનો અતિરેક હતો. શિક્ષકો ધમકાવતા જમાદાર જેવા વધુ હતા. અહીં માધ્યમિક શાળાના શિક્ષણ દરમિયાન આઇન્સ્ટાઇનને ભૂમિતિનો વિષય ગમી ગયો. એમાં પણ નિરૂપિત આકૃતિ અને તર્ક વચ્ચેની સંવાદિતાનો નિયમ ખૂબ પસંદ પડ્યો. એના એક કાકાએ ગણિતમાં રસ જગાડ્યો અને બીજા કાકાએ વિજ્ઞાનમાં જિજ્ઞાસા જગાડી. બાર વર્ષની ઉંમરે ગણિત અને વિજ્ઞાન એ બે વિષયોમાં આઇન્સ્ટાઇને વિચારવાનું શરૂ કર્યું. આ વિષયનાં વૈશ્વિક રહસ્યો ઉકેલવાની ઇચ્છા જાગી. બાળક આઇન્સ્ટાઇને મનમાં સંકલ્પ કર્યો કે આ દિશામાં જ આગળ વધવું છે. એ પછી એના જીવનમાં ઘણાં પરિવર્તનો આવ્યાં. નિશાળ છોડવી પડી. જર્મની છોડવું પડ્યું. સ્વિટ્ઝર્લેન્ડમાં રહેવું પડ્યું. આ બદલાતી પરિસ્થિતિ આઇન્સ્ટાઇનના સંકલ્પને બદલાવી શકી નહીં. મનની મિરાત ૧૩૧

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82