________________ જો તું ઊંડાણથી વિચારીશ તો ખ્યાલ આવશે કે આપણે તો હીરા-મોતી અને ઝવેરાત પથરાયા હોય એવા રસ્તા પર ચાલી રહ્યા છીએ.” મિત્રએ કહ્યું, “કાં તો તું પાગલ થઈ ગયો છે અથવા તો મારી મજાક કરે છે. અહીં તો ગંદકી સિવાય બીજું છે શું ? આ કાળી માટી કેટલી ખરાબ લાગે છે.” રસ્કિને વળતો પ્રશ્ન કર્યો, “તું જ કહે કે આ કાળી માટી છે શું? આ એ ખાણની માટી નથી કે જેમાંથી હીરા નીકળે છે. એટલે તો હું કહું છું કે આ જગતમાં કોઈ ચીજવસ્તુને નાચીજ માનવાની જરૂર નથી. જેને આપણે તુચ્છ, બેડોળ કે નાચીઝ માનીએ છીએ, એ ઘણી વાર સૌથી વધુ ઉપયોગી પુરવાર થાય છે. માત્ર એને સ્વીકારવાની અને એને લઈને આગળ વધવાનું સાહસ હોવું જોઈએ.” જન્મ : 8 ફેબ્રુઆરી, 1819, લંડન, ઇંગ્લેન્ડ અવસાન : 20 જાન્યુઆરી, 1900, કોઇન્સ્ટન, લંડન, ઇંગ્લેન્ડ 160 મનની મિરાત