Book Title: Manni Mirat
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 60
________________ ખોટા કેસની રજૂઆત કરી શક્તા નહીં અને એમનો ઉત્સાહ ભાંગી જતો. એક વાર એમની પાસે એક વ્યક્તિ આવી અને એણે કહ્યું કે આપણે અમુક વ્યક્તિ પર છસ્સો ડૉલરનો દાવો માંડવો છે. લિંકને જોયું કે જેના પર દાવો માંડવાનો હતો, તે પ્રમાણિક કુટુંબ હતું. આથી એમણે અસીલની વાત શાંતિથી સાંભળ્યા પછી કહ્યું, તમારા તરફથી દલીલો કરીને હું કેમ જરૂર જીતી શકું, પરંતુ મને એમ લાગે છે કે આપણી જીત એ એક પ્રમાણિક કુટુંબ પર આપત્તિ લાવનારી બનશે, આથી આવી જીતમાં હું ભાગીદાર બનવાનું પસંદ કરતો નથી.” અસીલને આશ્ચર્ય થયું. પોતે ફી આપવા તૈયાર છે, તેમ છતાં શા માટે લિંકન કેસ લડવાનો ઇન્કાર કરે છે ? લિંકને કહ્યું, “આવું કામ મારાથી ન થાય. હું તમારો કેસ લડી શકું નહીં, ત્યાં ફીનો ક્યાં સવાલ છે ? હું તો તમને સલાહ આપું છું કે તમે ગરીબ પ્રમાણિક કુટુંબને દુઃખમાં ઉતારવા કરતાં છસ્સો ડૉલર મેળવવાનો બીજો વધારે પ્રામાણિક ઉપાય શોધી કાઢો.” વકીલ લિંકને ફી જતી કરી, પણ કેસ લીધો નહીં. લેબેનોનના વિશ્વપ્રસિદ્ધ અરબી કવિ ખલિલ જિબ્રાન અંગ્રેજી અને ફ્રેન્ચ ભાષા જીવનનો શીખ્યા હોવા છતાં પોતાની માતૃભાષા અરબીમાં સર્જન કરતા હતા. બાળપણમાં અર્થ | ચિત્રકળાનો શોખ ધરાવનાર ખલિલ જિબ્રાન વિશિષ્ટ શૈલીમાં ચિત્રો સર્જતા રહ્યા. એમના પુસ્તક ‘સ્પિરિટ રિબેલ્યસ’ સામે બૈરૂતના પાદરીઓએ પ્રચંડ વિરોધ કર્યો. પાદરીઓને આ કૃતિ વિદ્રોહ જગાવનારી અને યુવામાનસને બહેકાવનારી લાગી. પરિણામે ખલિલ જિબ્રાનને રોમન કૅથલિક સંપ્રદાયમાંથી બરતરફ કરવાની સજા તથા દેશનિકાલની સજા ફરમાવવામાં આવી. આવી પરિસ્થિતિથી ખલિલ જિબ્રાન સહેજે વિચલિત થયા નહીં અને એમના વિચારોમાંથી ડગ્યા નહીં. એમણે તો માન્યું કે દુ:ખ એ બીજું કંઈ નથી. એમને શક્તિ આપવાનો કુદરતનો પ્રયત્ન છે. શરીરની મૂળ તંદુરસ્તી પાછી આપવા માટે જેમ તાવ આવે છે, એવી જ દુઃખની માનસપ્રક્રિયા છે. લેબેનોનમાંથી દેશવટો ભોગવનાર ખલિલ જિબ્રાન અમેરિકાના બોસ્ટન શહેરમાં રહેતા હતા, ત્યારે એમની નોંધપોથી મનની મિરાત ૧૧૭ જન્મ : ૧૨ ફેબ્રુઆરી, ૧૮૦૯, હાડન કાઉન્ટી, કેન્દ્ર કી, અમેરિકા અવસાન : ૧૫ એપ્રિલ, ૧૮૬૫, વોશિગ્ટન ડી.સી., અમેરિકા ૧ ૧૬ મનની મિરાત,

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82