________________
એ પછી ઘણા સુધારા-વધારા કર્યા અને માતાની સલાહનું પાલન કરીને વીસ વર્ષ બાદ ‘ધ પ્રોફેટ’ અંગ્રેજીમાં પ્રગટ કર્યું, જે વિશ્વભરમાં પ્રસિદ્ધ થયું.
એના વિચારો સાંભળીને એની બીમાર માતાએ એક વાર કહ્યું, બેટા, તું સન્યાસી થયો હોત અને દેવળમાં રહેતો હોત તો તારા માટે અને લોકોને માટે લાભદાયી બનત.”
ખલિલ જિબ્રાને ઉત્તર આપ્યો, “મા, તારી વાત સાચી છે, પરંતુ આ વિશ્વમાં આવતા પૂર્વે જ મેં તને માતા તરીકે સ્વીકારી હતી.”
માતા કામિલા રાહમીએ કહ્યું, “બેટા, તું જમ્યો ન હોત તો જરૂર દેવદૂત હોત.”
ખલિલ જિબ્રાને ખમીરભેર કહ્યું, “મા, હજી પણ હું દેવદૂત જ છું ને.” અને પછી પોતાના બે હાથ ફેલાવીને માને કહ્યું કે “જો મા, આ છે મારી પાંખો.”
કામિલા રાહમીએ નિરાશાભેર કહ્યું, “બેટ, પાંખો છે ખરી, પણ એ તૂટેલી છે.”
માતાની શિખામણની માફક માતા સાથેનો આ સંવાદ ખલિલ જિબ્રાનના હૃદયમાં વસી ગયો અને એમણે “ધ બ્રોકન વિંઝ’ નામની નવલકથા લખી, જે ચર્ચે ખલિલ જિબ્રાનને બૈરુતમાંથી દેશવયે આપ્યો હતો, એ જ ચર્ચના પાદરીઓએ ખલિલ જિબ્રાન ૪૮મા વર્ષે અવસાન પામ્યા, ત્યારે અતિ સન્માનપૂર્વક એ જ ચર્ચમાં એની અંત્યેષ્ટિ ક્યિા કરી હતી.
બ્રિટનના મહાન અદાકાર અને કુશળ
ફિલ્મ-અભિનેતા સર એલેક ગિનેસે ઝેર પીવાની ૧૯૪૬માં ફિલ્મ-કારકિર્દીનો પ્રારંભ કર્યો.
એક ફિલ્મમાં એણે આઠ જુ દી જુદી સલાહ
ભૂમિકા ભજવી હતી. બ્રિટિશ કૉમેડીમાં
એણે હાસ્ય-અદાકાર તરીકે નામના મેળવી અને વિખ્યાત ફિલ્મ ‘ધ બ્રિજ ઑન ધ રિવર ક્વાઇ' (૧૯૫૭)માં યુદ્ધ કેદીઓની છાવણીમાં રહેલા બ્રિટિશ ઑફિસરની ભૂમિકા માટે ઑસ્કર ઍવૉર્ડ મળ્યો. ટેલિવિઝન પર એણે ઉત્કૃષ્ટ અદાકારી દાખવી અને ૧૯૮૦માં ફિલ્મના ક્ષેત્રના એના પ્રદાનને માટે માન એકૅડેમી ઍવૉર્ડ મેળવ્યો હતો. આવા સર એલેક ગિનેસ પ્રસિદ્ધિની પરાકાષ્ઠાએ હતા ત્યારે એમને મળવા માટે એક અમેરિકન અબજોપતિ આવ્યા. એમણે આ વિખ્યાત અભિનેતાને કહ્યું, ‘આપને મળીને હું ખૂબ ખુશ થયો છું.’
સર એલેક ગિનેસે શિષ્ટતાપૂર્ણ પ્રત્યુત્તર વાળતાં કહ્યું, ‘આપના જેવી ધનાઢચ વ્યક્તિને મળતાં હું પણ આનંદ અનુભવું છું.'
અમેરિકન ધનપતિએ મૂળ વાત પર આવતાં કહ્યું, ‘હું એક દરખાસ્ત લઈને આવ્યો છું. આપ એના પર વિચાર કરશો અને સ્વીકૃતિ આપશો એવી આશા રાખું છું.' સર એલેક ગિનેસે કહ્યું, ‘કહો, શી છે આપની દરખાસ્ત?”
મનની મિરાત પ૭
જન્મ અવસાન
જન્યુઆરી, ૨૮૩, મોરોમન, સીરિયા ૧૦ એપ્રિલ, ૯, ન્યૂ યૉરિટી, અમેરિ ક્ર.
૫૬
મનની મિરાત