________________
મંગલાચરણ
પુજ્યશ્રી તરફથી સંમતિ મળતાં તે વ્યાખ્યાનો પુસ્તકાકારે બહાર પાડવાનો શ્રીસંઘને જે અપુર્વ લાભ મલ્યો છે તે બદ્દલ અત્રેનો શ્રી જૈન વેતામ્બર તપગચ્છ સંઘ પુ. મહારાજશ્રીનો ભૂરી ભૂરી આભાર વ્યક્ત કરે છે. ધાર્મિક જીવનની શુભ શરૂઆત નીતિ, ન્યાય, પાપભિરૂતા, માતાપિતાની સેવા, નિંદાત્યાગ વગેરે સગુણોથી જ થાય છે માટે પુસ્તકનું નામ
મંગલાચરણ રાખેલ છે અને તે તે ગુણોપર પૂજ્યશ્રીએ પોતાની કસાયેલી કલમથી વેધક પ્રકાશ પાડેલ છે.
- પુ. ગણીવર્યશ્રીના સુશિષ્ય મુનિશ્રી યશોવિજયજી મહારાજે પુસ્તકના મુફ સંશોધનનું કાર્ય કાળજીપૂર્વક કરેલ છે, તે બદ્દલ શ્રીસંઘ પુજ્ય મહારાજશ્રીનો અત્યંત આભાર માને છે. શ્રી પ્રિન્ટીંગ પ્રેસવાળા શ્રીયુત્ રતિલાલ શાહે પુસ્તકના છાપકામનું કાર્ય શ્રમપુર્વક અતિસુંદર અને ઉઠાવદાર કરી આપેલ છે તે પણ ટુંક સમયમાં, તે બદ્દલ સંઘ તેમનો પણ આભાર જાહેર કરે છે. જે જે મુમુક્ષુ ભાઈબહેનોએ પુસ્તકના કાર્યમાં આર્થિક સહકાર આપેલ તે સૌનો આભાર જાહેર કરવામાં આવે છે. - ક
- અંતમાં સૌ મુમુક્ષુ ભાઈબહેનો આ પુસ્તકનું વાંચન - મનન કરી તેમાંથી યથાશક્તિ સાર ગ્રહણ કરી જીવનને ધન્ય બનાવે એ જ અંતરની અભિલાષા !
શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપગચ્છ સંઘ
નાગપુર,