Book Title: Mahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Author(s): Bakul Raval, C N Sanghvi
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ વાતો જણાવે છે. બાળક માતાના ગર્ભમાંથી પ્રસવે ત્યારે તે ઘોર અંધકારમાંથી પ્રકાશમાં આવે છે. તમસમાંથી જયોતિમાં એનું આગમન થાય છે. પણ એ સ્કૂલ બાહ્ય દ્રવ્ય તમસ છે અને કુખની બહારનો પ્રકાશ પણ સ્થળ, બાહ્ય અને દ્રવ્ય પ્રકાશ છે. હજુ ભીતર ભારે અંધકાર ધરબાઈ પડ્યો છે. એને 'ઉલેચવાનો છે અને જ્ઞાનપ્રકાશ પેદા કરવાનો છે. આ જ્ઞાનપ્રકાશની પ્રાપ્તિ કાજે વિદ્યાર્થીઓએ એકેન્દ્રિય બની જવું પડે. પાંચે ઈન્દ્રિયો ભેગી મળીને માત્ર એક જ વિદ્યા - ઉપાર્જનના કામે લાગી જાય ત્યારે વિદ્યા હાથમાં આવે. આંખ, કાન, નાક, જીભ બધી કર્મેન્દ્રિયો વિદ્યાપ્રાપ્તિના કામમાં જોડાય ત્યારે સાચી વિદ્યા મળી શકે છે. જે લોકો પાંચે ઇન્દ્રિયોને યથેચ્છ રીતે વર્તવા દે, ફરવા દે, એ વિદ્યા પ્રાપ્ત કરી શકતા નથી. વિદ્યા મહેનત કે પરિશ્રમ વિના મળતી નથી. વિદ્યા કોઈ વેચાતો કે પદાર્થ નથી. વિદ્યા પરિશ્રમના પંથે ચાલીને વિનય દ્વારા સિદ્ધ કરવાની હોય છે. પરિશ્રમ હોય પણ વિનય ન હોય તો પણ વિદ્યા મળતી નથી. તેથી જ તો કહેવત છે કે “વિદ્યા વિનયેન શોમતે” (વિદ્યા વિનયથી શોભે છે.) જ્ઞાનાવરણ નામનું એક કર્મ છે. એનાં આવરણો વિનય દ્વારા તૂટે છે. આજે વિદ્યાપ્રાપ્તિ, પરિશ્રમ કે વિનય એકપણ ચીજ રહી નથી. શાળામાં વિદ્યાર્થીઓ બેઠેલા હોય જ્યારે શિક્ષક ઊભા ઊભા ભણાવતા હોય છે. આ અવિનય છે. ઊભા ઊભા ભણાવવાની પ્રથા અંગ્રેજોની બક્ષીસ છે જે વહેલી તકે કાઢી નાખવા જેવી છે. ઊભા ઊભા ભણાવેલું ઊભા ઊભા જ જતું રહે છે. - છાત્ર એટલે વિદ્યાગુરુના છત્ર નીચે રહેનારો. એમની આજ્ઞા મુજબ ચાલનારો. જૂના નિયમ પ્રમાણે વિદ્યાથીને ગુરુકુળમાં જ રહેવાનું હતું. એમાં છાત્રને જમીન ઉપર સૂવું પડતું. જ્યારે સ્નાતક બને પછીથી જ ખાટલા ઉપર સૂઈ શકતો. સ્નાતકનો અર્થ થાય છે નાહવું, સ્નાન કરવું. જે વિદ્યાથી જ્ઞાનના વિમલ જલ વડે શુદ્ધ થયો હોય તે સ્નાતક. સ્નાતકને સમાવર્તન સંસ્કાર કરાયા હોય છે. - આજે વિદ્યાગુરઓ પ્રત્યેનો વિનય નામશેષ થઈ ગયો છે. વિદ્યાગુર સાથેનો વ્યવહાર સાવ નિમ્ન કક્ષાનો થઈ ગયો છે. આવી ઉદ્ધતાઈથી