Book Title: Mahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Author(s): Bakul Raval, C N Sanghvi
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ તમસો માં જ્યોતિર્ગમય સ્નાતક કક્ષા સુધીનાં તમામ પુસ્તકો ભેગાં કરીએ તો પણ ઓછાં પડે એટલાં વિશાળ આ 11 અંગો છે. એ બધાં તેમણે પદાનુસારી લબ્ધિ વડે ગ્રહણ કરી લીધાં હતાં. આવી વાતોને આજના વિદ્યાર્થીઓ કદાચ દંતકથા કે અંધશ્રદ્ધા કહીને ઉડાડી દે. જલદી માનવા તૈયાર ન થાય. હમણાં આ દેશનું મોટું મંદિરો, ધર્મગ્રંથો અને સંતો તરફથી પશ્ચિમ તરફ ફરી ગયું છે. તે તરફથી વાત લાવીને અમારે અહીની વાત સમજાવવી પડે છે. અમેરિકામાં હમણાં સંશોધન થયું છે. યુનિવર્સિટી ઑફ કેલીફોર્નિયા (US) યુ. એસ. ના બે વૈજ્ઞાનિકોએ ગર્ભસ્થ શિશની જ્ઞાનશક્તિનું પરીક્ષણ કરીને જાહેર કર્યું કે ભુગમાં અવાજ પારખવાની, સંગીતના રાગો પારખવાની, કાવ્યો યાદ રાખવાની શક્તિ હોય છે. અલબત્ત આ દેશના સુશ્રુત, તંદુતાલિક આદિ ગ્રંથોમાં આથી આગળ વધીને ગર્ભસ્થ શિશુની અનેક વાતો રજૂ કરવામાં આવેલી છે. એ ગ્રંથોની આગળ આજનું જેનેટિક સાયન્સ તો ભૂ પીએ છે. એક સગર્ભા સ્ત્રી મહારાષ્ટ્રના ડુંગરોમાં ભમી રહી હતી. રામાયણ અરણ્યકાંડનું એ પારાયણ કરતી હતી અને શૌર્યભર્યા ગીતો ગાતી હતી. પ્રસવકાળ નજીક આવ્યો અને એણે એક સુપુત્રને જન્મ આપ્યો. માતાનું ધાવણ પીને આ બાળક દિવસે દિવસે મોટો થવા લાગ્યો અને આ દેશમાં મહારાજા છત્રપતિ શિવાજી તરીકે જાહેર થયો. એની શૂરવીરતાનું કારણ હતું માતાએ ગર્ભકાળ દરમિયાન આપેલું શિક્ષણ! શિવાજીને ઉઘાડવા માટે જે હાલરડાં ગવાતાં તે તમે સાંભળ્યાં છે? રાષ્ટ્રીય શાયર મેઘાણીએ લખ્યું છે: આભમાં ઉગેલ ચાંદલો, ને જીજાબાઈને આવ્યા બાળ બાળુડાને માત હીંચોળે: ઘણણણ ડુંગરા ડોલે! શિવાજીને નિંદરું ના'વે: માતા જીજાબાઈ ઝુલાવે. આવી જ વાત અભિમન્યુ માટે બનેલી. માતા સુભદ્રાના પેટમાં રહ્યા રહ્યા તેણે શ્રી કૃષગના મુખથી કહેવાયેલા ચબૂહના છ કોઠા શીખી લીધા હતા. અષ્ટાવક્ર ગીતાના રચયિતા અષ્ટાવક્ર ઉદરમાં હતા ત્યારે તેમણે પિતાની ભૂલ કાઢી હતી. આવા અનેક પ્રસંગો ગર્ભકાળે યા બાલ્યકાળે વિદ્યાપ્રાપ્તિની