Book Title: Madhyakalin Gujarati Jain Sahitya
Author(s): Kantilal B Shah, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

Previous | Next

Page 9
________________ VIII એક નિષ્ઠાવાન જૂથ તૈયાર કરે તો જ એ સાહિત્યનો ઉદ્ધાર થાય. છેવટે બે શબ્દ મધ્યકાલીન સાહિત્યના અધ્યયન, આસ્વાદ અને મૂલ્યાંકનને લગતી આપણી દૃષ્ટિ અને અભિગમ વિશે. એ સાહિત્ય પરંપરાનુસારી છે. એટલે આ સંદર્ભમાં “પરંપરાના અર્થસંકેતો અને તાત્પર્યની તલસ્પર્શી ચર્ચા કરવી એ એક પાયાની જરૂરિયાત થઈ. બીજું, એ સમયની રચનાઓ એકસાથે વિવિધ પ્રયોજનો – વ્યાવહારિક તેમ ઉચ્ચતર – સાધવાની દૃષ્ટિએ થતી હતી એ હકીકતને દૃષ્ટિ સામે રાખીને જ તેમનું ન્યાય કરતું વિવરણ-વિવેચન થઈ શકે. ત્રીજું ઘણીખરી રચનાઓનું પઠન નહીં, પણ શ્રવણ થતું. અને ચોથું જે ગ્રાહકવર્ગને માટે તેમનું "નિર્માણ થતું, અને તેમનો જે ઉત્પાદકવર્ગ હતો – એટલે “માગ’ અને ‘પુરવઠાને લગતી જે તે-તે સમયની પરિસ્થિતિ હતી (વૈપારી અર્થમાં આ ન સમજશો, ભલા !) – જે આર્થિક-સામાજિક-સાંસ્કૃતિક પરિવેશ હતો, તેની ઉપેક્ષા કરવી તે એ રચનાઓને, એ સાહિત્યને સાચી રીતે જાણવા-સમજવાનો રાજમાર્ગ છે એટલું યાદ રાખવું. આ પ્રયાસની સફળતા માટે ભાઈ જયંતને ધન્યવાદ. હરિવલ્લભ ભાયાણી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 355