Book Title: Karmgranth 3 Vivechan Author(s): Narvahansuri Publisher: Padarth Darshan Trust View full book textPage 9
________________ વિવેચન પિડપ્રકૃતિ - ૧૪ = મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક-તૈજસકામણ શરીર, ઔદારિક અંગોપાંગ પહેલું સંઘયણ. પહેલું સંસ્થાન, ૪ વર્ણાદિ, મનુષ્યાનુપૂર્વી, શુભ વિહાયોગતિ. પ્રજ્યેક ૬ = પરાઘાત. ઉચ્છવાસ, અગુરુલઘુ, જિનનામ, નિર્માણ, ઉપઘાત. સ્થાવર ૩ = અસ્થિર - અશુભ - અયશ. નિયમ ૧ = ઉપશમ સમકિતી જીવો જિનનામ અને મનુષ્યાયુષ્ય સિવાય ૭૦ પ્રકૃતિઓનો બંધ કરે છે. નિયમ-ર = ક્ષયોપશય સમકિતી જીવો જે જિનનામ નિકાચિત કરીને આવેલા હોય તે જીવો ૭૧ પ્રકૃતિઓ બાંધે છે. આયુષ્ય બાંધતી વખતે ૭૨ બાંધે છે. નિયમ-૩ = ક્ષાયિક સમકિતી જીવો જિનનામ નિકાચિત કરીને આવેલા હોય તો ૭૧ પ્રકૃતિઓ બાંધે છે. આયુષ્ય બાંધતી વખતે ૭૨ પ્રકૃતિઓનો બંધ કરે છે. નિયમ-૪ = ક્ષયોપશમ અને ક્ષાયિક સમકિતી, જિનનામ નિકાચિત વગરના જીવો સતત ૭૦ પ્રકૃતિઓ બાંધે છે. આયુ બાંધતી વખતે ૭૧ પ્રકૃતિઓ બાંધે છે. નિયમ-૫ = આ જીવો જિનનામ કર્મ નવું બાંધવાની શરૂઆત કરતા નથી. ૪ થી ૬ નરકને વિષે બંધ પ્રવૃતિઓનું વર્ણન : આ જીવો ભવપ્રત્યયથી દેવ, નારક, એકેન્દ્રિય, વિકલેન્દ્રિય થતાં નથી તેમજ તીર્થકર પણ બનતાં નથી તેથી ૨૦ પ્રકૃતિઓનો બંધ કરતાં નથી. આયુ ૨ = નરકાયુ, દેવાયુ. નામ ૧૮ = પિંડપ્રકૃતિ-૧૨, પ્રત્યેક-૨, સ્થાવર-૪ પિંડપ્રકૃતિ ૧૨ = નરકગતિ, દેવગતિ, એકેન્દ્રિયાદિ ૪ જાતિ, વૈક્રિયઆહારક શરીર, વૈક્રિય-આહારક અંગોપાંગ, નરકાનુપૂર્વી, દેવાનુપૂર્વી. પ્રત્યેક ૨ = આતપ- જિનનામ. સ્થાવર ૪ = સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ.Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90