Book Title: Karmgranth 3 Vivechan
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
૨૧
કર્મગ્રંથ - 3 નિયમ ૫ = યુગલિક સિવાયના મનુષ્યોને ૪ થી ૭ ગુણ
સ્થાનકને વિષે ઉપશમ, ક્ષયોપશમ ને ક્ષાયિક
ત્રણેય સમકિત હોય છે. નિયમ ૬ = ૪ થી ૭ ગુણસ્થાનકને વિષે અનાદિ મિથ્યા
દૃષ્ટિ ઉપશમ સમક્તિ પામે તે ઉપશમ સમક્તિ તથા ઉપશમ શ્રેણીનું ઉપશમ સમક્તિ એમ બે
ઉપશમસમક્તિ વાળા જીવો હોય છે. સંમૂચ્છિક લબ્ધિ અપર્યાપ્તા મનુષ્યો, સંમૂચ્છિક લબ્ધિ અપર્યાપ્તા તિર્યંચો તથા ગર્ભજ લબ્ધિ અપર્યાપ્તા મનુષ્યો અને તિર્યંચોને વિષે બંધ પ્રકૃતિઓનું વર્ણન.
આ જીવોને એક મિથ્યાત્વ ગુણસ્થાનક જ હોય છે. આ જીવો ભવપ્રત્યયથી નરકગતિને દેવગતિ પ્રાયોગ્ય પ્રકૃતિઓનો બંધ કરતાં ન હોવાથી ૧૧ પ્રકૃતિઓ બાંધતા નથી.
આયુ ૨ = નરકાયુ ને દેવાયુ નામ ૯ = પિંડપ્રકૃતિ ૮ ને પ્રત્યેક ૧.
પિંડપ્રકૃતિ ૮ = નરકગતિ, દેવગતિ, વૈક્રિય-આહારક શરીર, વૈક્રિયઆહારક અંગોપાંગ, નરકાનુપૂર્વી, દેવાનુપૂર્વી. પ્રત્યેક ૧ = જિનનામ.
ઓધે તથા મિથ્યાત્વ ગુણસ્થાનકે ૧૦૯ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના – દર્શના.- વેદનીય.-મોહનીય.—આયુ.- નામ.- ગોત્ર – અંતરાય ૫ ૯ ૨ ૨૬ ૨ ૫૮ ૨ ૫ = ૧૦૯
આયુષ્ય ૨ = તિર્યંચાયુષ્ય, મનુષ્યાયુષ્ય નામ ૫૮ = પિંડપ્રકૃતિ ૩૧, પ્રત્યેક ૭, ત્રાસ ૧૦, સ્થાવર ૧૦.
પિંડપ્રકૃતિ ૩૧ = તિર્યંચગતિ, મનુષ્યગતિ, પાંચજાતિ, ઔદારિક, તૈજસ, કાર્મણ શરીર, ઔદારિક અંગોપાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણાદિ, તિર્યંચ-મનુષ્યાનુપૂર્વી, ૨ વિહાયોગતિ.
પ્રત્યેક ૭ = પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, અગુરુલઘુ, નિર્માણ,

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90