________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૪૭]
કર્ણિકાઓઃ અર્થે અને ધમર્થે વિચાર કર્યો હતો તે શાહબુદ્દીન ઘોરીને ગૃહછિદ્ર બતાવત નહિ. કરણઘેલાએ વિવેકપૂર્વક વિચાર કર્યો હોત તે મંત્રીપત્નીને સતાવી ગુજર બઝિને નાશ કરવામાં સ્વયં કારણુબત બનત નહિ અને તેણે જે દુખ પ્રાપ્ત કર્યું તે કદાપિ પ્રાપ્ત કરી શકત નહિ સિકંદરના વખતમાં ભારતીય નૃપતિએ વિવેકપૂર્વક રાજ્યસંરક્ષાની કાર્યપ્રવૃત્તિ આદરી હોત તે તેની પતિતદશા થાત નહિ. વિવેકપૂર્વક ઈંગ્લીશ સરકાર રાજ્યકાર્યપ્રવૃત્તિને આદરે છે તેથી તેના રાજ્યમાં રાન્નતિના સૂર્યને–આકાશીય સૂયને અસ્ત થત નથી. જ્યારે જ્યારે વિવેકની ક્ષીણતા થાય છે ત્યારે ત્યારે અવિવેકથી ન કરવાગ્ય અનીતિ વગેરે કર્મોની પ્રવૃત્તિ થાય છે અને તેથી પતિત દશાને પ્રારંભ થાય છે. જેને કેમમાં જ્યારથી વિવેકભાનુનાં પ્રખરકિરણેને પ્રકાશ મન્દ પડવા લાગ્યું અને અવિવેકરૂપમાં તેમને પ્રચાર વધવા લાગે, ત્યારથી જેનકેમની વસતિ ઘટવા લાગી અને જેન કેમમાંથી વિદ્યાબલ, ક્ષાત્રબલ, વ્યાપારબલ અને સેવાબલની સુવ્યવસ્થાઓ અને તેની પ્રગતિને અસ્ત થવા લાગ્યું. વિવેકથી ચડતી છે અને અવિવેકથી પડતી છે–એમ સર્વ બાબતની સર્વ પ્રવૃત્તિમાં સમજી લેવું. જે મનુષ્યમાં જે સમાજમાં જે જ્ઞાતિમાં જે સંઘમાં જે દેશમાં જે જે બાબતેને વિવેક પ્રકટ જોઈએ તે પ્રકટવા માંડ્યો એટલે અવબોધવું કે જાપાન અમેરિકાની પિકે ઉદયસૂર્યનું પ્રભાત પ્રકટવા લાગ્યું છે. વિવેકપૂર્વક સ્વયેગ્ય પ્રત્યેક કાર્યપ્રવૃત્તિ થતાં અનેક જાતની હાનિમાંથી બચી શકાય છે અને પ્રવૃત્તિમાર્ગમાં પૂરવેગથી ગમન કરી શકાય છે. વિવેક વિના મનુષ્યની અને મનુષ્યદ્વારા કર્તવ્ય કાર્યોની પરિપૂર્ણ કિસ્મત આંકી શકાતી નથી.
For Private And Personal Use Only