Book Title: Karmayoga Karnikao Part 1
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 201
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૮] કમલેગ કરવા માટે પરંપરાભ્યાસની અત્યંત આવશ્યકતા છે. જ્ઞાન દર્શન અને ચારિત્રાદિક અનેક ગુણોની સેવામામાં શક્તિ પ્રાપ્ત કરવાને પરંપરાભ્યાસનું મહત્વ સ્વીકારીએ તે પ્રમાણે પ્રવર્યા વિના છૂટકો થવાને નથી. જે જે કર્તવ્ય કાર્યોની અભ્યાસ પરંપરાઓ સેવવાથી કચેની સિદ્ધિ સાથે આત્મશક્તિની વૃદ્ધિ થાય છે તે અભ્યાસપરંપરાઓને ત્યાગ કદાપિ કરી શકાય નહિ. જે જે મનુષ્યોમાં મહાન શક્તિ પ્રગટી છે તે પરંપરાભ્યાસનું ફલ છે તેવું અવારીને પરંપરાભ્યાસની પ્રવૃત્તિને નિર્ધારિત કાર્યોની સિદ્ધિ માટે સેવવી જોઈએ. મુક્તિમાર્ગમાં વા સાંસારિકમાર્ગમાં કર્તવ્યકાર્યપરંપરાભ્યાસથી આત્માની શક્તિ પ્રગટે છે અને કર્તવ્ય- ' કાની સિદ્ધિ થાય છે. જે જે ગુણોની સિદ્ધિ વા પ્રાપ્તિ માટે અભ્યાસ સેવવામાં આવે છે તે તે કાર્યોની સિદ્ધિ ખરેખર મતતાભ્યાસ બળે પરંપરાભ્યાસબળે થાય છે–એમ અનેકજ્ઞાનચોગીઓનાં અને કામગીઓનાં દષ્ટાંતથી સિદ્ધ થાય છે. સતતાભ્યાસબળ અને પરંપરાભ્યાસબળ જેનામાં નથી અને જેનામાં છે તે પણ જે મક્ક થાય છે તે જીવતાં મૃતકના સમાન છે અને તે વિશ્વમાં નકામું ખાય છે પીવે છે. તેઓને જન્મ પશુઓના કરતાં વિશેષ નથી. સતતાભ્યાસ અને પરંપરાભ્યાસ બળવડે સ્વાધિકાર જે જે કતવ્ય કાર્યો હોય તે અવયય કરવાં જ જોઈએ. યદિ અભ્યાસ ન સેવવામાં આવે તે જીવતાં મનુષ્ય મડદાં સમાન છે અને તેઓ સ્વપરની ઉન્નતિ કરવાને કઈ પણ રીતે લાયક નથી. કર્તવ્ય કાર્યો માટે જે અભ્યાસ ન લેવાય તે અવબોધવું કે કર્તવ્ય કાર્યો માટે મનુષ્ય જીવતે જ નથી અને તે આધ્યાત્મિકભાવે જીવતે રહેવાને અધિકારી થતું નથી. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226