________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮િ૯
- કમર બહાવિષયોના સંબંધમાં રહેતાં છતાં નિલેપ રહેવાની શક્તિ પ્રકટે છે. તેથી પ@િામ એ આવે છે કે કામભેગની ઈચ્છાઓને વિરામ થવાથી શારીરિક વીર્યનું પણ સ્વયમેવ સંરક્ષણ થાય છે. કામની વાસનાઓને ક્ષય કરવો હોય તો આત્મજ્ઞાનની પ્રાપ્તિપૂર્વક શબ્દાદિક વિષયમાં સમભાવ પ્રગટે એવો અભ્યાસ સેવવો જોઈએ અને રાજયોગપૂર્વક કામની વાસનાઓ ટળી જાય એવો આત્મજ્ઞાનમાર્ગ પ્રાપ્ત કરવો જોઈએ. જ્યાં કામ ત્યાં રામ નથી અને જ્યાં રામ ત્યાં કામ નથી. મૈથુનકામની વાસનાઓથી સમગ્ર વિશ્વમાં અનેક પ્રકારના અસહ્ય અનર્થો થયા કરે છે. કામની વાસનાઓની મનની ચંચલતા વિશેષ પ્રકારે પ્રકટે છે અને આત્માની સત્યશાંતિથી સહસ્ત્ર યોજના દૂર રહેવું પડે છે. કામની ઈચ્છાઓના આધીન રહેવાથી પરતંત્રતા શેક વિયેગ રેગ આધિ વ્યાધિ અને કલેશાદિની પ્રાપ્તિ થાય છે. જે જે અંશે કામભેગેચ્છાના સંક૯પવિકલ્પથી વિરતિ પ્રાપ્ત થાય છે તે તે અંશે આત્માની શાંતિનો સહજાનુભવ આવે છે. કામની ઇચ્છાઓને હઠાવવી જ જોઈએ એ જ્યારે મનમાં દઢ નિશ્ચય થાય છે ત્યારે કામનો પરાભવ કરી શકાય છે. જ્યારે સ્વપ્નામાં પણ કદાપિ કામગનું ચિત્ર ખડું ન થાય અને આત્મસ્વભાવ રમણતાનું ચિત્ર ખડું થાય ત્યારે અવબોધવું કે બ્રહ્મચર્યની વાસ્તવિક દિશા Rightway તરફ પ્રતિગમન કરાયું છે. કામગની નિંદા કરવા માત્રથી વા અન્ય મિથુનકામીઓની નિંદા માત્રથી કામને જીતી શકાતે નથી. વસ્તુત: કામને જીત હોય તે કામના સંકલ્પવિકા કેવી રીતે, ક્યાંથી, કયા કારણે કેવા સંગમાં કેવી ક્ષણિક સુખની બુદ્ધિથી ઉઠે છે અને તેનું શું પરિણામ આવી શકશે તેનો વિવેકપુર સર વિચાર કરીને સત્ય સુખનો માર્ગ અવલંબવા જોઈએ,
For Private And Personal Use Only