Book Title: Kalpsutra
Author(s): Bhadrabahuswami, Punyavijay, Bechardas Doshi
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 208
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નગરીમાં એક વાર, સાવત્થી નગરીમાં એક્વાર, પ્રણીતભૂમિમાં એટલે વજાભૂમિ નામના અનાર્ય દેશમાં એક વાર ભગવાન મામું રહેવા આવ્યા હતા અને તદ્દન છેલ્લું ચોમાસું રહેવા ભગવાન મધ્યમા પાવા નગરીમાં હસ્તિપાલ રાજાની મજણ કામદારની કચેરીવાળી જગ્યામાં આવ્યા હતા. ૧૨૩ ભગવાન જયારે છેલ્લું માસું રહેવા ત્યાં મધ્યમા પાવા નગરીમાં હસ્તિપાલ રાજાની મોજણી કામદારેની કચેરીવાળી જગ્યામાં આવેલા ત્યારે તે ચોમાસાની વસ્તુને ચોથે મહિને અને સાતમો પક્ષ ચાલતો હતે, સાતમા પક્ષ એટલે કાર્તિક માસને ૨૦ દિવ પક્ષ, તે કાતિક માસના ૧૦ દિવ પખવાડિયાની પંદરમી તિથિ એટલે અમાસ આવી અને ભગવાનની તે છેલ્લી રાત હતી. તે રાતે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પામ્યાદુનિયા છોડીને ચાલ્યા ગયા, ફરીવાર જનમ ન લેવો પડે એ રીતે ચાલ્યા ગયા, તેમનાં જનમ જરા મરણનાં તમામ બંધને પેઢાઈ ગયાં અર્થાત્ ભગવાન સિદ્ધ થયા, બુદ્ધ થયા, મુક્ત થયા, દુઃખના અંતકૃત-નાશ કરનારા-થયા, પરિનિર્વાણ પામ્યા અને તેમનાં તમામ દુઃખે હણાં થઈ ગયાં-ચાલ્યાં ગયાં. ભગવાન જ્યારે કાળધર્મને પામ્યા ત્યારે ચંદ્ર નામને બીજે સંવત્સર ચાલતો હતો, પ્રીતિવર્ધન નામે માસ હત, નંદિવર્ધન નામે પખવાડિયું હતું, અસિ -અશ્મિ -નામે તે દિવસ હતો જેનું બીજું નામ “ઉવસમ” એમ કહેવાય છે અને દેવાણંદા નામે તે રાત્રિ હતી જેનું બીજું નામ “નિરઈ' કહેવાય છે, એ શતે અર્થ નામને લવ હતા, મુર્ત નામને પ્રાણ હતો, સિદ્ધ નામને તૈક હતો, નાગ નામે કરણ હતું, સર્વાર્થસિદ્ધ નામે મુહૂર્ત હતું અને બરાબર સ્વાતિ નક્ષત્રને ચાગ આવેલ હતા. એ સમયે ભગવાન કાળધર્મને પામ્યા, દુનિયા છોડીને ચાલ્યા ગયા અને યાવત્ તેમનાં તમામ દુખે તદ્દન હોણાં થઈ ગયાં-તદ્દન છેદાઈ ગયાં. ૧૨૪ જે રાતે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પામ્યા યથાવત્ તેમનાં તમામ દુ:ખ તદ્દન છેદાઈ ગયાં તે રાતે ઘણા દેવ અને દેવીએ નીચે આવતાં હોવાથી અને ઉપર જતાં હેવાથી ખુબ ઉદ્યોત ઉદ્યોત પ્રકાશ પ્રકાશ થઈ રહ્યો હતો. * ૧૨૫ જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પામ્યા યાત્ તેમનાં તમામ દુબે તદ્દન છેદાઈ ગયાં તે રાતે ઘણા દે ને દેવીઓ નીચે આવતાં હોવાથી અને ઉપર જતાં હોવાથી ભારે કેલાહલ અને ભારે ઘંઘાટ થયો હતે. ૧૨૬ જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પામ્યા યાવત તેમનાં તમામ દુઓ તદ્દન છેદાઈ ગયાં તે રાત્રે તેમના પધ્યિ ગૌતમ ગોત્રના ઈન્દ્રભૂતિ અનગારનું ભગવાન મહાવીરને લગતું પ્રેમબંધન વિછિન્ન થઈ ગયું. અને તે ઈદ્રભૂતિ અનગારને અંતે વગરનું, ઉત્તમોત્તમ એવું યાવત કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયું. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255