________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૮૯ વર્ષાવાસ રહેલાં નિગ્રંથોને કે નિગ્રંથીઓને રલાન-માંદાના કારલ્સને લીધે થાવત ચાર કે પાંચ જન સુધી જઈને પાછા વળવાનું ખપે. અથવા એટલી મર્યાદાની અંદર રહેવાનું પણ ખપે, પરંતુ જે કાર્ય સારુ જે દિવસે જ્યાં ગયા હોય ત્યાનું કાર્ય પૂરું થયા પછી ત્યાંથી તુત નીકળી જવું જોઈએ. ત્યાં રાત વિતાવવી ન ખપે અથૉત્ રાત તે પોતાના સ્થાનમાં જ વિતાવ ખપે.
રહે એ પ્રમાણેના આ સ્થવિરક૫ને સૂત્રમાં કહ્યા પ્રમાણે, કલ્પના–આચારના– ધોરણ પ્રમાણે ધર્મમાગને અનુસાર, જે રીતે સાચું હોય એ રીતે શરીર દ્વારા સ્પર્શીને– ક્રિયામાં મૂકીને, બરાબર પાળીને, શુદ્ધ કરીને અથવા ગુશેન રતે દીપાવીને, તીરસુધી લઈ જઈને જીવનના છેડા સુધી પાળીને, બીજાને સમજાવીને, બરાબર આરાધીને અને ભગવાનની આજ્ઞા પ્રમાણે અનુપાલન કરીને કેટલાક શ્રમણ નિર્ચ તે જ ભાવમાં સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, પરિનિર્વાણ પામે છે અને સર્વદુઃખના અંતને કરે છે. બીજા કેટલાક બીજા ભવમાં સિદ્ધ થાય છે યાવત્ સર્વ દુઃખોને અંતને કરે છે. બીજા કેટલાક ત્રીજા ભવમાં સિદ્ધ થાય છે ચાવતું સર્વ દુઃખના અંતને કરે છે. વળી, તે રીતે સ્થવિરકલ્પને આચરનારા સાત કે આઠ ભવથી આગળ ભમતા નથી અર્થાત્ એટલા ભવની અંદર સિદ્ધ થાય છે યાવત્ સર્વદુઃખના અંતને કરે છે.
૨૧ તે કાલે તે સમયે રાજગૃહ નગરમાં ગુણશિવક ચિત્યમાં ઘણા શ્રમણાની, ધણી શમણીઓની, ઘણા શ્રાવકની, ઘણી શ્રાવિકાઓની; ધણા દેશની અને ઘણું દેવીઓની વચ્ચે વચ્ચે જ બેઠેલા શ્રમણ ભગવાન મહાવીર એ પ્રમાણે કહે છે, એ પ્રમાણે ભાખે છે, એ પ્રમાણે જણાવે છે, એ પ્રમાણે પ્રાપણા કરે છે અને પજવણકમ્પ–પર્સેપશમનને આચારક્ષમાપ્રધાન આચાર–નામના અધ્યયનને અર્થ સાથે, હેતુ સાથે, કારણુ સાથે, સુત્ર સાથે, અર્થ સાથે, સૂત્ર તથા અર્થ બન્ને સાથે અને સ્પષ્ટીકરણ–વિવેચન-સાથે વારંવાર દેખાડે છે –સમજાવે છે. એમ હું કહું છું,
પરસવણકM ( અનુવાદ) સમાપ્ત . #નામું અધ્યયન સમાપ્ત થયું.
For Private And Personal Use Only