________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાલ્પનિક અધ્યાત્મ મહાવીર ઃ ૨૩ શક્ય છે કે ? માટે આ શંકા સૈદ્ધાન્તિકી નથી, પણ વિતંડાવાદ સાથે સંબંધ રાખનારી છે.
પ્રસ્તુત ગ્રંથ બાહ્યરૂપે ભલે કથાનક જેવું લાગે, પણ આન્તરકરૂપે તે પ્રત્યેક કાલ્પનિક પ્રસંગને “અધ્યાત્મને પુટ લાગેલે જ છે એમ સ્પષ્ટ જણાશે. જેમકે –
“સર્વત્ર તમે મને મહાવીરરૂપે દેખે. શ્રી મહાવીર પ્રભુને મનુષ્ય જે રૂપે ભજે છે તે તે રૂપે તેમને પ્રાપ્ત કરે છે. પ્રભુ મહાવીરમાં પૂર્ણ પ્રેમ અને પૂર્ણ શ્રદ્ધા જેની છે તે એ જ ભવમાં -જીવન્મુક્ત બને છે. શ્રી યશોદા! તમને ધન્ય છે કે તમારા પર શ્રી મહાવીર પ્રભુનો પત્ની પ્રેમ પ્રગટ્યો છે. શ્રી મહાવીર પ્રભુને મન, વાણી, કાયાનું સમર્પણ કરીને જે ભક્તો વર્તે છે તેઓ કલિયુગમાં જીવમુક્તપદ પ્રાપ્ત કરશે. પ્રભુ મહાવીર જ પરબ્રહ્મ છે. (૧. ર૭૧)
આવી વાતોથી ધૂળ દષ્ટિએ એમ લાગશે કે આ ગીતા પદ્ધતિનું પુસ્તક છે, પણ વાત એમ નથી. પુસ્તકના પૂરા ભાવને આપણે પકડીએ તે એમ લાગશે કે, મહાવીર એટલે અધ્યાત્મદ્રષ્ટિએ પિતાને જ અન્તરાત્મા અને યશદાદેવી એટલે શુદ્ધપરિણતિ. - આ વસ્તુસ્થિતિને ખુલાસો ગ્રન્થકર્તા પોતે જ તૃતીય ભાગના છેલા પ્રકરણમાં કરી દે છે, અને તેથી જ આ ગ્રંથની ઉપાદેયતા ઘણા પ્રકારે વધી જાય છે.
પ્રત્યેક પ્રકરણ માટે શું લખવું, કારણ કે પ્રત્યેક શબ્દ, પ્રત્યેક વાક્ય, પ્રત્યેક પ્રસંગ અને પ્રત્યેક ઉપદેશ અણમેલ છે.
ઉપદેશને આટલો મોટો સંગ્રહ બીજે ક્યાંય પણ જોવા નહીં મળે. જાણે મૈત્રી અદિ ચાર ભાવના ભાવતાં દયામૂર્તિ બનીને જ આ પ્રસ્તુત ગ્રંથ લખાય છે. ક્યાંય થાક નથી, કંટાળે નથી, વાક્યરચના અધૂરી નથી. જાણે તોફાન વગરને
For Private And Personal Use Only