________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩. હિંસા-અહિંસાનું સ્વરૂપ
સત્યરૂપાઃ જગદીશ વિશ્વદેવ મહાવીર પ્રભે! આપને નમું છું, સ્તવું છું અને આપનું શરણ કરી તથા સર્વસ્વાર્પણ કરી પૂછું છું કે ભગવાન ! દયાનું, અહિંસાનું અનેક દૃષ્ટિએ કેવા પ્રકારનું સ્વરૂપ છે તે કૃપા કરી જણાવશે તથા હિંસાનું સ્વરૂપ પણ જણાવશે ?
પરબ્રહ્મ મહાવીરદેવ : સતીશિરોમણિ સત્યરૂપા દેવી! તારું કલ્યાણ થાઓ, તારે જય-વિજય થાઓ. તે અહિંસા-હિંસાના સ્વરૂપ સંબંધી જે પ્રશ્ન કર્યો તેનું સ્વરૂપ શ્રવણ કર.
લેકેત્તર અને વ્યવહારદષ્ટિએ સ્વાર્થ–પરમાર્થ વિના પ્રમાદેથી કે ભૂલથી દેહધારીઓના દેહથી પ્રાણેને વિયેગ કરો તે હિંસા છે. પિતાની, કુટુંબની, જ્ઞાતિની, દેશની, સંઘની, પ્રજાની, રાજ્યાદિકની શક્તિઓને અને સુવ્યવસ્થાઓને નાશ કરવો તે, તે તે દષ્ટિએ, હિંસા છે. એ જ રીતે તે તે શક્તિઓ આદિનું રક્ષણ કરવું-કરાવવું તે અહિંસા છે. અધ્યાત્મદષ્ટિએ આત્માના ગુણપર્યાનું, ધર્મોનું રક્ષણ કરવું તે અહિંસા છે અને આત્માના જ્ઞાનાદિ ગુણોને નાશ કરે તે હિંસા છે. આત્માની સાથે રહેલ શરીર, વાણી, મન અને આરોગ્ય જાળવવું અને તેનું રક્ષણ કરવું તે વ્યવહારદષ્ટિએ અહિંસા છે. વ્યવહારદષ્ટિએ પિતાની શારીરિક તથા વિત્તાદિ અને આજીવિકાદિ શક્તિઓ જાળવવી તે અહિંસા છે. આત્મા, મન, વાણી, કાયાદિકનો નાશ ન કરે તે અહિંસા છે. દેશની, સમાજની, સંઘની રક્ષા થાય એવા દેશકાલાનુસારે જે ઉપાયો
For Private And Personal Use Only