Book Title: Kalpanik Adhyatma Mahavira Part 2
Author(s): Buddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 531
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઈબ્રાદિએ કરેલી સ્તુતિ આપે છે. આપના ગુણધર્યાનો પાર નથી. કળિયુગમાં આપના મહાવીર નામના જાપથી અને આપના ઉપદેશ પ્રમાણે વર્તવાથી સર્વ લોકોની ઉન્નતિ થશે અને એ પ્રમાણે નહીં માનવાથી તથા નહીં વર્તવાથી આયકોની અવનતિ થશે. અવનતિ પામ્યા પછી જ્યારે સૂર્યવંશદિવાળા ક્ષત્રિય, વસિષ્ઠાદિ વંશી બ્રાહ્મણે, વૈશ્ય, શુદ્રો, ત્યાગીઓ વગેરે આપના નામને જાપ તથા આપની સેવાભક્તિ કરશે ત્યારે તેઓની ઉન્નતિ થશે તથા ઈન્દ્રો વગેરે દેવે આપની આજ્ઞા પ્રમાણે તેઓની ઉન્નતિ કરવા સહાયક બનશે, એમાં જરામાત્ર શંકા નથી. જ્યારે મનુ, રાજાએ દારૂ વગેરે વ્યસનેમાં આસક્ત થશે, પરસ્ત્રી ઓના ફંદામાં ફસાશે, દેવ, ગુરુ, ધર્મની આરાધના ભૂલી જશે, આપના ઉપર લોકોની શ્રદ્ધા નહીં રહે, ત્યારે કળિયુગમાં વિશ્વના લોકોનો અધઃપાત થશે અને તેઓ જીવતાં નરકના દુઃખ ભોગવશે. પ્રત્યે ! આપની કૃપાથી હું મોહ જીતનાર થો છું. સર્વ વિશ્વમાં આત્મમહાવીરનું સત્યપૂર્ણ સામ્રાજ્ય છે, એમ જાણું છું. પ્ર મારા પર કૃપા કરી વહેલા વહેલા અહિં પધારશે. હું આપના પ્રેમને ભૂખ્યો છું અને તરસ્યો છું. આપ વિના વિશ્વમાં કશું કંઈ સાર નથી. છતાં આપમાં મસ્ત બની સ્વાધિકાર રાજ્યકર્મ કરીશ અને વિશ્વમાં જૈન ધર્મને પ્રચાર કરીશ. આપને નમું છું, સ્તવું છું. આ પ્રમાણે કહી નંદિવર્ધન સાસુનયને મૌન રહ્યા છે વારિક ઝષે ! ઈન્દ્રો વગેરે દેવો આકાશમાં ચાલ્યા ગયા. સર્વ લેકે પ્રભુને જોઈ રહ્યા. પ્રભુજીએ ઈશાન કેણુ તરફ વનમાં વિહાર કર્યો. લેકે અથ સારતા પાછા વળ્યા. હે વસિષ અષિ! પ્રભુ મહાવીરદેવની આગળ શ્રી યશોદાદેવી અત્યંત શુદ્ધ અને અનન્ય પ્રેમભાવથી ગળગળા થઈ ગયાં અને પ્રભુને પુનઃદર્શન દેવાની વિનંતિ કરી. વાસિષ્ઠ ઋષિ! આ પ્રમાણે પ્રભુને દીક્ષા મહોત્સવ, ઈન્દ્ર For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559